SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ શિશિરઋતુમાં ઠંડી જરા વધારે હોય છે. મેઘ મારૂત અને વર્ષાકાળની ઠંડી લુખી અને આદાન કરનારી હાય છે. “ આ સર્વ મમત મારા મનમાં તે ખરાબર સમજાઇ ગઈ છે, પણ એ સંબંધમાં વધારે વિચારણા કરવાથી લાભ શે? મારા વિચાર પ્રમાણે તેા કુમારને બરાબર અજીર્ણના વિકાર થયો છે. ” અહાહા ! આ કાળ આયુર્વેદમાં પોતે ઘણા હુશિયાર છે એમ માને છે છતાં એનામાં કેટલી બેવકુફી છે! એવા વિચાર કરતાં કુમાર જરા હસ્યા. એનું હસવું જોઇને બધા મિત્રોએ એક સાથે પૂછ્યું “ અરે મિત્ર ! આપ શા માટે હસ્યા ? ” કુમારે જવાબ આપ્યા “ હું કપાળની મૂર્ખતા પર વિચાર કરતા હતા. મેં તે વિચારથી મારૂં હસવું ઘણું ડબાવ્યું પણ આખરે મારાથી હસવું રોકી શકાયું નહિ. ” પદ્મકેસરે અત્ર વખતસરનું ટકું માર્યું “ કુમાર ! બહુ કૃપા કરી ! અમારે જે કામ સાધવું હતું તે ખરાખર સિદ્ધ થઇ ગયું. કુમારશ્રીના મનમાં જે અંદરના તાવ આવ્યા હતા તેની શાંતિ માટે અને કાંઇક વિનેાદ થાય તે સારૂ અમે સર્વેએ સાથે મળીને આ ઠંડા સરકરીરૂપે ભાષણ શરૂ કર્યું હતું, અમે કાંઇ ગંભીર નહાતા. કહ્યું છે કે— चित्तोद्वेगनिरासार्थ, सुहृदां वोषवृद्धये । તજ્ઞાઃ પ્રહલનું વિલ્થ, વેન્ચેવ વિચક્ષળr; ॥ મિત્રના ચિત્તમાં થતા ઉદ્વેગ દૂર કરવા માટે અને તેની શાંતિમાં વધારો કરવા માટે સમજી અને ડાહ્યા માણસા ઊંચા પ્રકારના હાસ્ય ૧ (આયુર્વેદમાં છ માસને આદાનકાળ કહેવામાં આવે છે અને છ માસને વિસર્ગકાળ કહેવામાં આવે છે. ઉત્તરાયણના કાળ વિસર્ગકાળ કહેવાય છે. એટલે શિશિર વસંત અને ગ્રીષ્મમાં પૃથ્વી અને મનુષ્યનેા રસ શેાષાય છે, શરીર પાતળું પડે છે અને કાંઇક નબળાઇ આવે છે અને નબળાઇના વ્યાધિગ્રસ્ત દરદીએ એ વખતે વધારે ત્રાસ પામે છે. દક્ષિણાયણમાં એટલે વર્ષો શરદ્ અને હેમંત ઋતુમાં જે સમય વર્તે છે તેને ‘ આદાનકાળ ’ કહેવામાં આવે છે, એટલે એમાં પૃથ્વી તેમ જ મનુષ્યા અળસંગ્રહ કરે છે. ઉપરના શ્લામાં એ હકીકત ખતાવી છે કે હેમંત અને શિશિર ઋતુ સરખી છે, પણ શિશિરમાં ઠંડી વધારે હેાય છે જ્યારે મેઘ મારૂત અને વર્ષોકાળની ઠંડી લુખી હેાય છે અને આદાન કરનારી હાય છે, બળ આપનારી હોય છે-લુખી-ઠંડીથી જઠરાગ્નિને બહુ એર મળે છે અને શરીરમાં તાકાત વધે છે. હેમંત આદાનકાળમાં આવે છે જ્યારે શિશિર વિસર્ગકાળમાં આવે છે. ખન્નેમાં ઠંડી હેાય છે પણ હેમંતની ઠંડીથી શરીરને ઘણા લાભ થાય છે જ્યારે શિશિર કાળની ઠંડીથી તેવા લાભ થતા નથી. વળી શિશિર કાળમાં વાતપિત્ત કક્ અલ્પ હેાય છે. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy