SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા–આયુર્વેદ. ૧૫૨૫ કરી શરીર સંબંધી વિકારનો નિર્દેશ કરી ગય! (અથવા મેટું પહોળું કરી માત્ર વિકારેનું કથન કરી ગયો. ) ” કપણે જવાબ આપતાં કહ્યું “ભાઈ વિભ્રમ! મેં કુમારની પ્રકૃતિ વિગેરે સર્વ બાબત મારા ધ્યાનમાં લઈ લીધી છે અને વ્યાધિને લગતી સંચય વિગેરે સર્વ બાબત મારા ધ્યાનમાં જ છે. જે સાંભળ ગ્રીમ ઋતુમાં ( ઉન્ડાળામાં) દિવસ, રાત્રી અને ઉમરને અંતે તથા અજીર્ણ થયું હોય તેને અંતે એટલે છેવટના ભાગમાં વાયુનું જોર હોય છે એટલે ચિત્ર વૈશાખ માસની શરૂઆતમાં, દિવસની આખરે એટલે સાંજે અને રાત્રીની આખરે એટલે મળસ્કે અને અજીર્ણ મટી જવા આવે ત્યારે શરીરમાં વાયુનું જોર હોય છે; ગ્રીષ્મઋતુની શરૂઆતમાં દિવસની અને રાત્રીની શરૂઆતમાં તથા ઉમરની શરૂઆતમાં એટલે બાળપણમાં અને અજીર્ણની શરૂઆતમાં કફનું જોર હોય છે અને એ સર્વની મધ્યમાં એટલે ગ્રીષ્મઋતુના વચલા ભાગમાં તથા દિવસરાત્રી વય (જુવાની) અને અજીર્ણની વચ્ચે પિત્તનું જોર હોય છે, તેમજ શરઋતુમાં પણ પિત્તનું જોર વધારે હોય છે. ગ્રીષ્મઋતુમાં વાયુનો સંચય થાય છે, વર્ષાઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને શરઋતુમાં તેને પ્રશમ (શાંતિ) થાય છે. વર્ષાઋતુમાં પિત્તનો સંચય થાય છે, શરઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને હેમતઋતુમાં તેનો પ્રશમ થાય છે. શિશિરઋતુમાં કફનો સંચય થાય છે, વસંતઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને ગ્રીષ્મઋતુમાં તેને પ્રથમ થાય છે. હેમંત અને શિશિરઋતુઓ લગભગ સરખી છે પણ શિશિરઋતુમાં (વાત પિત્ત કફને) અ૫નું વિશેષણ આપવું. પરિણામે ૧ મહા ફાગણ માસમાં વસંતઋતુ હોય છે, ચૈત્ર વૈશાખમાં ચીમઋતુ, જેઠ આષાઢમાં વર્ષાઋતુ હોય છે. શ્રાવણ ભાદ્રપદ અને થોડા આસો સુધી શરદઋતુ હોય છે, આ કાર્તક અને ચેડા માગશરમાં હેમંત અને ઉત્તરાયણથી શિશિરઋતુ હોય છે. આ ચયપ્રકોપ બતાવનાર શ્લેક ઘણે અટપટે છે તેને વૈદ્ય અર્થ બતાવ્યો છે તે પ્રમાણે કર્યો છે. શ્લેક નીચે પ્રમાણે છે. ग्रीष्मायेषु समीरस्य, पित्तस्य प्रावृडादिषुः चयप्रकोपप्रशमाः कफस्य शिशिरादिषु. ગ્રીષ્માષ એટલે ગ્રીષ્મથી શરૂ કરતાં એવો અર્થ થાય છે. ' આ અર્થ બરાબર છે અને વૈદકશાસ્ત્ર પ્રમાણે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy