SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ લઈ લેવું, ખાવાની અને પચાવવાની તેનામાં શક્તિ કેટલી છે તે બરાબર જાણી લેવું, એનામાં કસરત કરવાની હરવા ફરવાની શક્તિ અને સગવડ છે કે નહિ તે વિચારી લેવું અને તેની ઉમ્મર કેટલી છે તે બરાબર કળી લેવું. (એક વ્યાધિનું નિદાન કરતી વખતે આ પ્રમાણે નવ બાબત વેશે લક્ષ્યમાં રાખવી જોઈએઃ (૧) પ્રકૃતિ, (૨) બળ, (૩) બાંધે, (૪) પ્રમાણ, (૫) પથ્ય, (૬) ધીરજ-સત્વ, (૭) આહારશક્તિ, (૮) કસરતની સગવડ અને (૮) વય–ઉમર.) ઉપરાંત હુંશિયાર હૈ દેનાં સંચય, પ્રકેપ, પ્રસર, સ્થાન અને વ્યક્તિભેદ જરૂર જાણવાં જોઈએ. જે વ્યાધિ અથવા દેને પ્રથમની સંચય સ્થિતિમાં એટલે કે જ્યારે તે એકઠા થતા હોય તે અવસ્થામાં રેકી દીધા હોય તે તે આગળ વધી શકતા નથી એટલે તેને પ્રપ થતો નથી, પણ જો તેને આગળ વધવા દેવામાં આવે તે તે વધારે બળવાનું થાય છે. “અને ભાઈ કપાળ! તે તો આ દરદી (કુમાર હરિ)ના સંબંધમાં કાંઈ પણ વિચારપૂર્વક ન જોયું! માત્ર તેનું મુખ ઉઘાડું હોવાથી કુમારના શરીરમાં વિકાર છે એમ કહી ગયે અને ઉઘાડે મુખે ભડભડ ૧ સંચયઃ અમુક દરદીને કયા રોગ થયેલ છે, કયા કયા એકઠા થયેલ છે અથવા વાત પિત્ત અને કફમાંથી કોને અને કેટલો સંચય થયેલ છે અને કયા કેટલા પ્રમાણમાં એકઠા થયા છે તે વિચારવું તે સંચય. ૨ પ્રકોપર-વાત પિત્ત કફમાંથી કેણ વૃદ્ધિ પામી આગળ ચાલેલ છે. ત્રણે સમ-સરખા હોય ત્યારે શરીર તંદુરસ્ત હોય છે, એક અથવા બે વધે ત્યારે વ્યાધિ થાય છે, ત્રણે વધી પડે તેને સન્નિપાત કહે છે. ૩ પ્રસરઃ વ્યાધિ વેગમાં છે અને વાત પિત્ત અને કફમાંથી કોનો વધારે - વેગ છે અને કેટલો વેગ છે તે વિચારવું. એક વિદ્વાન વૈદ્ય કહે છે કે અહીં પ્રસરને બદલે કામે શબ્દ જોઈએ. વાત પિત્ત કફની શાંતિ કેવી રીતે કરવી. આ વાતને આગળ વય પ્રાપ કરામ શબ્દ આવે છે તેથી ટેકો મળે છે. ૪ સ્થાનક વાતપિત્તકફનાં શરીરમાં સ્થાને છે તે વૈધે સમજવાં જોઈએ. તેને માટે જુઓ ઉપરની નેટના વિભાગ નાં. (૩) માં નીચેનો ભાગ. ૫ યતિભેદઃ આ વ્યાધિ છે કે બીજો છે? વિગેરે વિવેક કર તે વ્યક્તિભેદો છે. તેમાં દરેકને માટે હું જૂ હું વિચારવું પડે છે. ૬ માત્ર બાહ્ય વિકાર ઉપરથી દવા કરવી તેને symptomatic treatment કહે છે. એવા પ્રકારની દવાથી મેટા વ્યાધિમાં ભાગ્યે જ લાભ થાય છે. નિદાન કરવામાં વિકાર ઉપરાંત ઘણાં કારણો વિચારવા જોઈએ, દરદીનો આખો ઇતિહાસ અને પૂર્વ જીવન સમજવાં જોઇએ અને વય શરીર વિગેરે ઉપર કહ્યાં તે સર્વે સંબંધ લક્ષ્યમાં લેવાં જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy