SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નરસુંદરીને આપઘાત. ૭૫૧ સૂર્ય અન્ય ક્ષેત્રમાં જેવા થાતુરંતમાં જ ચારે તરફ અંધારૂં વ્યાપી ગયું. નગરના મોટા જાહેર રસ્તાઓ ઉપર લેકે ખડરમાં સુંદરી, અવર જવર ઓછા થવા લાગે. એવે વખતે એક તદ્દન શૂન્ય (ખાલી પડેલા-ખંડેર જેવા) ઘરમાં નરસુંદરી દાખલ થઈ. તે વખતે બીજી બાજુએ ચંદ્રમા ઉદય પામે. ઉગતા ચંદ્રના રૂપેરી મંદમંદ પ્રકાશમાં એ(નરસુંદરી)ને જેતે હું પણ એ શૂન્ય ઘરના દરવાજા સુધી તેની પછવાડે ગયો અને દરવાજાની નજીકમાં કેઈ ન જાણી શકે તેવી રીતે ઊભો રહ્યો. ત્યાર પછી નરસુંદરીએ ચારે દિશાએ નજર ફેરવી અને એક જગાએ ઇંટેને ઢગલે પડેલ હતું તેની મદદથી ઊંચી ચઢીને પોતાનું ઉપર પહેરવાનું વસ્ત્ર (સાડી) તેણે ભીંતના મધ્યભાગ સાથે બાંધી અને તેની સાથે પિતાની ડોક લટકાવી. પછી નરસુંદરી મટેથી બોલી “અરે લેકપાળ! તમે સાંભળો ! બરાબર ધ્યાન આપીને સાંભળે! અથવા તો હે પૂજ્યો ! તમને દિવ્ય જ્ઞાન હોવાથી તમે સર્વ જોઈ જાણી રહેલા જ છે! જુઓ ! આજે મારા પતિ સાથે કાંઈ વાર્તાલાપ થતાં એવો પ્રસંગ આવી ગયું કે મેં તેમને કળાઓની હકીકત જણાવવા વિનંતી કરી, પણ તેમ કરવામાં મારો હેતુ તેમનું જરા પણ અપમાન કરવાને નહે. કમનશીબે એ પ્રસંગને લીધે તેઓ માનપર્વત ઉપર આરોહણ કરવા તૈયાર થઈ ગયા અને આ કમનશીબ બાળાને તેમણે સર્વથા તિરસ્કાર કયો.” નરસુંદરીનાં આવાં વચન સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે આ બાપડી અંતઃકરણથી મારું અપમાન કરવાની ખુલાસાનો વિ- ઈચ્છા રાખતી હતી એમ તે જ|તું નથી, પણ પરીત અર્થ. આ તે પ્રેમને જ અપરાધ છે એટલે પ્રેમગોષ્ટિ કરતાં મને ગુસ્સે. આ હેય એમ જણાય છે. ત્યારે એ વાત તે મેં બરાબર ઠીક કરી નહિ; માટે અત્યારે એને આપઘાત કરતી અટકાવું–આવા વિચારથી તેણે ગળામાં નાખેલો પાસ કાપી નાખવા હું આગળ વધતો હતો ત્યાં વળી તેણે આગળ બોલવા માંડ્યું “અહો લેપાળ! તેટલા માટે તમે મારા પ્રાણુ ગ્રહણ કરે. મારા હવે પછીના બીજા જન્મારામાં આવો બનાવ બનવા ન પામે અટલી મારી વિનતિ છે.” તે વખતે શૈલરાજે ૧ મારા ઉપર મારા પતિ ગુસ્સે થાય એ બનાવ ન બને એમ કહેવાને આશય સ્પષ્ટ છે, છતાં રિપદારૂણ એને કેવા અર્થમાં લઈ જાય છે તે જુઓ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy