SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નરસુંદરીના આપઘાત. प्रणतेषु दयावन्तो, दीनाभ्युद्धरणे रताः । सस्नेहार्पितचित्तेषु दत्तप्राणा हि साधवः ॥ १॥ સાધુ પુરૂષા જેઓ તેમને નમતા આવે છે (તેણે ગમે તેટલા અપરાધ કર્યો હેાય તેા પણ) તેના ઉપર દયા રાખે છે, દીન ગરીખના ઉદ્ધાર કરવામાં સર્વદા તૈયાર રહે છે અને સહુથી જેઆ તેમને મન આપે છે ચિત્ત સોંપી દે છે તેની ખાતર પાતાના પ્રાણ પણ આપે છે. આવું સાધુ પુરૂષનું વર્તન હોય છે, માટે તારે તે પ્રમાણે વર્તવું ચેાગ્ય છે.” પ્રકરણ ૫] રિપુદારૂણના અભિમાની જવાબ. વાત્સલ્યશીળ માતા પગે પડી તેને પાટુ હતાશ માતા અને નરસુંદરીના હૃદયના ખળા), મારા ઉપર નરસુંદરીના પ્રેમ કે અવિચળ હતા અને તેના મનમાં મારે માટે કેટલી સારી લાગણી હતી એ સંબંધી મારી માતાનું વિવેચન સાંભળીને હું નરસુંદરી તરફના એહુથી કાંઇક નમ્રતા ધારણ કરવાની તૈયારીમાં હતા અને કાંઇક તેના તરફ સીધા થઇ જ એવા અનુકૂળ સંયોગે મારા મનમાં થતા હતા ત્યાં તે મારા મિત્ર શૈલરાજે ભવાં ચઢાવીને માથું હલાવ્યું અને મારા હૃદય ઉપર સ્તબ્ધચિત્ત લેપ પેાતાને હાથે લગાવી દીધા. ૭૪૭ ' એ પ્રમાણે થતાં નરસુંદરીએ મારી નજરે મારો જે માટે અપરાધ કર્યો હતા તે મારી સ્મૃતિમાં બરાબર ખડો થયો અને મારા મનપર એથી ઘણી ઉલટી અસર થઇ આવી; જેથી મેં મારી માતાને કહ્યું “મારૂં અપમાન કરનાર એ શંખણીનું મારે કાંઇ પણ કામ નથી.” માતા વિમલમાલતીએ કહ્યું “ અરે ભાઇ! એમ એલ નહિ. જો કે એણે તારા માટે 'અપરાધ કર્યો છે, પણ મારી ખાતર એકવાર તું એને માફી આપ.” આટલું બોલી મારી માતા મારે પગે પડી. કહ્યું દ્ર જા, નીકળ! તે નાલાયકના પક્ષ ખેંચનાર ! તું પણ અહીંથી નીકળ. મેં કાઢી મૂકેલી રાખણીને તું સંઘરે છે તે જા ! નીકળ ! મારે તારૂં પણ કામ નથી.” આ પ્રમાણે કહીને મેં મારી માતાને મારા પગવડે પાટુ મારી.ર ૧ નરસુંદરીએ કાંઈ દમ જેવે અપરાધ કર્યો નહેાતા, પણ અભિમાની પુત્રને રાજી રાખવા વાત્સલ્યશીળ માતાને આમ કહેવું પડયું. અભિમાનથી કેટલું વિપ રીત પરિણામ થાય છે તે હવે બરાબર ધ્યાન રાખી વાંચવા ભલામણ છે. ૨ અભિમાનની હદ જોજો! માતા પગે પડી તેને પાટુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy