SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. ૭૩૮ લામાં તે હું એના (નરસુંદરીના) ચિત્તમાં મેટો ભેદ પાડી દઈશ, તે એમ જ જાણે કે એ કામ તે થઈ જ ગયું છે.” આવી રીતે નરસુંદરીને અને ભારે વિયોગ કરાવવા માટે મારા બન્ને મિત્રોએ (?) પિતાના મનમાં ચોક્કસ નિશ્ચય કરી દીધો અને તેને માટે કેવી રીતે કામ લેવું તેની સર્વ વ્યવસ્થા બરાબર વિચાર કરીને તેમણે અંદર અંદર ગોઠવી લીધી. અભણ કુમારને સુંદરીપર મોહ, લેકેને કુમારસુંદરીના સંબંધ પર વિચાર, જ્યારથી મને નરસુંદરી મારી પત્ની તરીકે પ્રાપ્ત થઈ ત્યારથી હું તે મારા મનમાં એમ જ માનતો હતો કે ત્રણ પ્રેમાસક્ત કુમાર. લેકમાં સારામાં સારી જે વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે મને મળી ગઈ છે. આવા વિચારને પરિણામે પિતાનાં ભવાં ચઢાવીને આંખોને વાકી કરીને પિતાનાં હૃદય ઉપર શૈલરાજને આપેલે લેપ લગાડ લગાડતો હું મારા મનમાં વિચાર કરતું હતું કે-મને ખરેખર એક સંપૂર્ણ સુંદર સૌભાગ્યશાળી નિપુણ પતી મળી છે તેથી મારા જેવો આ દુનિયામાં બીજો કોઈ ભાગ્યશાળી પ્રાણ નથી; આવા વિચારથી હું તેના પ્રેમમાં વધારે ને વધારે ગાઢ આસક્ત થઈ ગુરૂમહારાજને વંદન કરવા પણ ન જઉં, દેવને પણ નમસ્કાર કરવા ન જઉં અને મારા વડીલ સગાસંબંધીઓને માન આપવા પણ બહાર નીકળે નહિ, એટલું જ નહિ પણ મારા નોકરોને પૂરા હુકમ પણ આપું નહિ અને દુનિયાને અહીં પણ દેખાતું નહિ. મારું આવું દુષ્ટ વર્તન જોઇને ભારે પુણ્યોદય મિત્ર જેને વારંવાર મારે માટે લાગણી થઈ આવતી હતી તેને મનમાં ઘણો જ ખેદ થયો અને પરિણામે તે બાપડો મારી ખાતર દુર્બળ થતો ગયો. મારા સગાસંબંધી અને પરિજન પણ મારું એવા પ્રકારનું વર્તન જોઈને મારી તરફ એછા રાગવાળા થઈ ગયા અને અંદર અંદર મારી હાંસી કરતા વાત કરવા લાગ્યા–“અહે! નસીબ તે જુઓ ! દૈવ કેવી વિચિત્ર પેજના કરે છે! વાહ! શું વિધાતાએ આ સંબંધીઓને મત. કાગડાની કેટે રન બાંધ્યું છે ! આવી રત જેવી સ્ત્રીને આવા મૂખ સાથે ગોઠવી દીધી ! પહેલાં તો પિતાની મૂર્ખાઈથી એ રિપદારૂણ ગર્વથી ભરેલું હતું, એનામાં મૂર્ખતાનું ૧ મતલબ મારું પુણ્ય ખવાઈ જવાથી એછું થવા લાગ્યું, જમે પુંછ વપરાવા લાગી અને વધારાના માર્ગ મેં જાતે જ બંધ કરી દીધા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy