SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] નરસુંદરીના પ્રેમ-તિરસ્કાર. ७३७ સંભળાવ્યા. નરસુંદરીએ પણ મારા પુણ્યાદયના પ્રભાવથી પાતાનું મન મારી તરફ વાળ્યું અને તેના પિતાએ જે વિચારો જણાવ્યા તે તેને બરાબર યુક્તિવાળા અને તદ્દન વ્યાજબી લાગ્યા જેથી તેણે પણ તે વાત સ્વીકારી. પેાતાની પુત્રીએ નિર્ણય ફેરવીને પાતાની વાત સ્વીકારી તેથી નરકેસરી રાજાને આનંદ થયા. ત્યાર પછી તુરત જ નરકેસરી રાજા નરવાહન રાજાને મળ્યા અને કહ્યું કે “હવે વારંવાર પરીક્ષા કરવાનું શું પ્રયેાજન ગેાઢવણ-લગ્ન. છે? લોકોને એકઠા કરવાની ભાંજગડમાં ઉતરવાની જરૂર નથી. નરસુંદરી પાતે રાજી ખુશીથી કુમાર રિપુદાણુને વરવા ઇચ્છે છે. વધારે સ્પષ્ટ કહું તે તે અમારે દેશથી આવી ત્યારથી જ તેને વરી ચૂકેલી છે. માટે હવે આ મામતાં ઝાઝી અડાઇ મારવાથી કે મોટા પડારો કરવાથી શું? એમ કરવામાં તે ઉલટું હલકા માણસાને ખેલવાના અવકાશ આપવા જેવું થશે. માટે હવે આ કુમાર બીજી વધારે પરીક્ષામાં ઉતર્યા વગર જ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે એમાં મને કાંઇ વાંધા લાગતા નથી.” મારા પિતા (નરવાહન રાજા)એ એ હકીકતના સ્વીકાર કર્યો. ત્યાર પછી તુરત જ સારો દિવસ જોવરાવવામાં આવ્યા અને મહાન ઉત્સવ પૂર્વક નરસુંદરી મારી સાથે પરણી. નરસુંદરીને ત્યાં મૂકી નરકેસરી રાજા પેાતાને દેશ વિદાય થયા. કોઇ પણ પ્રકારના અંતરાયવિના નિરાકુળ આનંદ આનંદવિદાય. ભાગ ભાગવી શકાય તે માટે એક માટા વિશાળ રાજ્યમહેલ મારે માટે પિતાશ્રીએ મને આપ્યા. Jain Education International મા પ્રકરણ ૪ શું. નરસુંદરીના પ્રેમ-તિરસ્કાર. રા અને નરસુંદરીનાં લગ્ન થઇ ગયાં, નરસુંદરીના પિતા પેાતાને દેશ ગયા. ત્યાર પછી નરસુંદરીની સાથે આનંદ કરતાં કેટલાએ દિવસેા પસાર થઇ ગયા. પુણ્યાદયે અમારે બન્નેના પ્રેમ બહુ સારી રીતે જોડી આપ્યા, અમારા બન્નેમાં અરસ્પરસ પૂર્ણ વિશ્વાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy