SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણૢ ૩] નરસુંદરી-લગ્ન. સાથે તેના પ્રધાનવર્ગ અને સંબંધીવર્ગ આવ્યા હતા તે ઘણા આશ્ચર્ય પામી ગયા. અમારા ગામના લોકે મારા પિતાશ્રી ન સાંભળે તેમ અરસ્પરસ ધીમે ધીમે વાત કરવા લાગ્યા. “ અરે! આ રિપુદારૂણ અભિમાનમાં ચઢી ગયા છે, પણ તદ્દન મૂર્ખ જણાય છે! જેમ ધમણમાં પવન ભર્યાં હોય તેમ એ ભાઇશ્રી અભિમાનથી જ ફૂલી ગયેલા જણાય છે જો કે અંદર કાંઇ દમ નથી, પણ ખાલી ખાટી વિખ્યાતિ પામી ગયેલ છે. કાઇ માણસ ભણવામાં મીડું હાય પણ વાચાળ હાવાને પરિણામે કદાચ બાહ્ય વાણીના આ ંબરથી લેાકેામાં મેાટાઇ મેળવી જાય, પરંતુ તેવાને જ્યારે કસેાટિએ ચઢવાના પ્રસંગ આવે છે ત્યારે તેને અનેક પ્રકારની હેરાનગતી પ્રાપ્ત થાય છે અને લેાકેામાં આ રિપુદારૂણ કુમારની પેઠે મશ્કરી કરાવવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે,” શ્વાસ રૂંધાયા. કુમારને શરીરે એકાએક વ્યાધિ થઇ આવ્યેા. આખરે પુછ્યાય શરમાયા અને બહાર પડ્યો. વિચારી માજી ગાઢવી અને નરસુંદરી અપાવી. મારા પિતાશ્રી અને કળાચાર્ય એક બીજાને કાને લાગીને અંદર અંદર વાત કરતા હતા. તે વખતે તે વાત શી કરે છે તે મારા સમજવામાં ન આવવાથી મનમાં મને એક વિચાર સુઝયા; મને એમ થયું કે મારા પિતા અને *ળાચાર્ય ગમે તેમ કરીને જોર વાપરીને પણ મારી પાસે કળા સંબંધી વાત બેલાવશે. આવા વિચારથી મારા મનમાં ઘણા ભય પેસી ગયા જેને પરિણામે મારી ગળાની નાડીનું જાળું એકદમ અટકી ગયું અને પરિણામે શ્વાસેાશ્વાસ લેવાના માર્ગ રોકાયા. એ વખતે જાણે હું મરી જતા હાઉ એવી મારી દશા થઇ ગઇ. એટલે અરે પુત્ર! અરે મારા આપ! દીકરા ! તને આ શું થઇ ગયું' એમ બેાલતી મારી માતા વિમલમાલતી દૂરથી આવીને મારે શરીરે વળગી પડી, અમારે આખા સંબંધીવર્ગ એકદમ આકુળવ્યાકુળ થઇ ગયા, રાણી વસુંધરા ( નરસુંદરીની માતા) ઝાંખાઝમ થઇ ગયાં અને નરકેસરી રાજા આશ્ચર્યમાં પડી ગયા. 1933 ፡፡ એ વખતે યોગ્ય અવસર જોઇને મારા પિતાશ્રીએ કહ્યું “અરે લેાકે!! આજે તેા તમે વિદાય થઇ જાઓ ! આજે કુમારને શરીરે સારૂં નથી. કુમારની પરીક્ષા હવે પછી બીજે વખતે થશે.” રાજા નરવાહનના આવા શબ્દ સાંભળી લોકો ત્યાંથી બહાર નીકળી ગયા અને ત્રણ રસ્તાના સંગમપર સમય જાળવ્યેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy