SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ તેને સાથે લઇને બીજા જઘન્ય પાડામાં સર્વે આત્મા. આ પાડામાં પણ એ મારગુરૂ ઘણા વખત કર્યો પણ એને જરાએ ભીખ ન મળી. ત્યાં પણ લુચ્ચા મશ્કરા હલકા લોકોએ તેને પીડા કરી. આખરે જે સરાવળું આપી તેને જઘન્ય પાડામાં મેાકલવામાં આવ્યા હતા તે ભાંગી જતાં તે પાડામાંથી પણ અઢરગુરૂ પાછો ફર્યો. આ બીજા પાડામાં તે ગુરૂ ઘણા વખત રખડ્યો. ત્યાર પછી ધૂતારા લાકોએ અઠરગુરૂને ત્રાંબાનું પાત્ર આપ્યું અને ત્યાંથી તેને સાથે લઇને તે ત્રીજા ઉત્કૃષ્ટ પાડામાં ગયાં. ત્યાં એ તા રત્નથી ભરપૂર દેવમંદિરના નાયક છે-એવા તેના કાંઇક આભાસ માત્રથી એને જરા જરા લીખ મળી, પણ જેવી રીતે અતિ જઘન્ય અને જઘન્ય પાડામાં લુચ્ચા લોકો હેરાન કરતા હતા તેવી રીતે અહીં પણ બીજા હરામખાર લોકો તે બારગુરૂને ત્રીજા પાડામાં પણ થાડો ઘણા ત્રાસ તા આપ્યા જ કરતા હતા. આવી રીતે એ ત્રીજા પાડામાં કેટલીક વખત ભીક્ષા માટે ફર્યા પછી ઠરગુરૂ પાસે ત્રાંબાનું પાત્ર હતું તે આખરે ભાંગી ગયું. જ્યારે એનું એ પાત્ર ભાંગી ગયું ત્યારે પેલા ધૃતારાએ એ તેને રૂપાનું એક સુંદર પાત્ર આપ્યું, એ પાત્ર લઇને ભાઇસાહેબ ખટરગુરૂ ધૂતારાઓને સાથે સામતમાં લઇને ચેાથા પાડામાં ગયા અથવા વાસ્તવિક રીતે કહીએ તેા ધૂતારાઓ તેને ચોથા પાડામાં રૂપાના પાત્ર સાથે લઇ ગયા. ત્યાં એ રનના માલેક તરીકે ઘણા જાણીતા અને પ્રખ્યાત હોવાથી સારી રીતે તૈયાર કરેલી ભિક્ષા દરેક ઘરમાંથી મેળવવા લાગ્યા-ત્યાં તે દરેક ઘરના રહેવાસીએ તેને મજાની વસ્તુએ ભીખમાં આપતા હતા. ૧૬૬ ખીજા પાડામાં સ ા વ છું. ત્રીજા પાડામાં ત્રાંબાનું ભાજન, ચેાથા પાડામાં રૂપાનું પાત્ર. આવી રીતે પેલા ચારલોકાએ આપડા ખઢરગુરૂને ચારે પાડાઓમાં વારંવાર રખડાવતા હતા. દરેક પાડામાં તેને વારંવાર વારા ફરતી લઇ જાય અને રાતદિવસ તેની પાસે નાટક કરાવીને ભમાવ્યા કરે, રખડાવ્યા કરે, નચાવ્યા કરે. દરેક ઘરમાં અને હસે, તેના ચૂરેચૂરા કરે અને વળી વળગી પણ પડે. ત્યાંના લોકો પણ નાટક કરે, તાલ દે અને સામા તાલ લે. ધૂતારાઓ તેા તેને અનેક પ્રકારનાં રૂપે લેવરાવીને વિડંબનાઓ કર્યાં કરે. આવી રીતે ધૂતારાઓ અનુ ઠરગુરૂને હેરાન કરે, ત્રાસ આપે, છતાં જેવી તેવી જે ભિક્ષા મળે તથા પેટ ભરીને પેલા મૂખે ગુરૂ મનમાં રાજી થાય, આનંદ પામે, સંતાષ પામે અને વળી કાઇ વાર આવી રીતે ગાવા પણ મંડી જાય— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy