SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] થયું કે પેાતાના સુંદર કુટુંબના વખત ધૂતારા ચાર લોકો સાથે કુટુંબને તેા જાણે તદ્દન ભૂલી જ અમરગુરૂ કથાનક. ૧૧૬૩ અનાદર કરી પેલા શૈવાચાર્ય આખેા વિલાસ કરવા લાગ્યા અને પેાતાના ગયા હાય એમ દેખાવા લાગ્યા. એ સારગુરૂનું એવું વિચિત્ર વર્તન જોઇને સમજી શિવભક્તો તેને વારંવાર વારતા અને કહેતા કે “ ભટ્ટારક ! જે લોકોની સાથે તમે સેખત કરો છે. તે તેા ધૂતારા છે, માટા ચેાર છે, માટે તમારે એની સાથે જરા પણ સંબંધ કરવા નહિ.” આવી મામત અનેક વખત તેઓ કહેતા પણ સારગુરૂ તે તેમનું વચન જ સાંભળતા નહિ, કાન આડા હાથ જ મૂક્યા કરતા અને જાણે એ વાતમાં કાંઇ દમ જ ન હોય એમ બતાવતા. તેનામાં આવી વિચિત્રતા જોઇ તેની મૂર્ખાઇને લઇને સારશુરૂ નામ બદલીને અહરગુરૂ' એવું લોકોએ તેનું નામ પાડ્યું અને પછી તેા આખરે જ્યારે તેઓને જણાયું કે એ ધૂતારા ચારાકાથી ઘેરાઇ ગયેલા છે અને તેમની મિત્રતામાંજ આનંદ લેનાર છે ત્યારે તેઓ દેવમંદિર જ તજી ગયા, ચારલેાકથી ભરાયેલા દેવમંદિરમાં જવું પણ તેમને ચેાગ્ય લાગ્યું નહિ. શિવભક્તો મંદિરમાં આવતા બંધ થઇ ગયા એટલે પેલા ધૂતારાઓના દર વધ્યા, તેઓએ પેાતાની કપટજાળ વધારે વધારે પાથરવા માંડી, પેલા ખટરગુરૂનું ગાંડપણુ વધે તેથી સર્વ યેાજના કરવા માંડી, તેને અમલમાં મૂકી, છેવટે આખા શિવમંદિરને તેઓએ પેાતાને વશ કરી લીધું, એ અઠરગુરૂના કુટુંબને તદ્દન હરાવી હઠાવી દીધું, વચ્ચેના એક ઓરડામાં તે આખા કુટુંબને કેદ કરી દીધું અને તે એરડીનાં બારણાં ઉપર મજબૂત તાળાં દઇ દીધાં. Jain Education International આવી રીતે આખા શિવમંદિરને અને અઠરગુરૂને પેાતાને વશ કરીને પછી એ ધૂતારાઓ પેાતાના મનમાં ઘણા જ રાજી થયા, મહુ પ્રસન્ન થયા અને પાતામાંથી એકને પેાતાના નાયક તરીકે સ્થાપન કર્યો. જેને એવી રીતે નાયક ( આગેવાન ) બનાવવામાં આવ્યા હતા તે વળી સર્વથી વધારે માટેા ધૃતારા હતા. પછી તેા એ ધૂતારાઓ તે નાયકની સન્મુખ ત્યાં નાચ કરે, તાળીએ દે, મેઢેથી અવાજે કરે અને ખરગુરૂ પાસે અનેક પ્રકારનાં નાટકે કરાવે-આવી ક્રિયા દરરોજ ચાલવા લાગી. વળી તે વખતે ધૃતારાએ ઉઘાડી રીતે નીચે પ્રમાણે ગાયન પણ કરવા લાગ્યાઃ— ૧ અઢરગુરૂ: મૂર્ખ, અક્કલ વગરના ભેાળા ગુરૂ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy