SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાર. ધિષણા નામની પુત્રી હતી તેને બુધ સાથે પરણાવી, તેનાથી બુધને વિચાર નામના પુત્ર થયા. પૃ. ૧૨૮૨-૧૨૬. પ્રકરણ ૧૮ સું-પ્રાણપરિચય-ભુજંગતાના ખેલા. હવે પેલા યુદ્ધ અને અંદ ક્રીડા કરતા લલાટપટ્ટ નામના પર્વતે ગયા, ત્યાં શિખર ઉપર ફખરી નામની ઝાડીમાં નાસિકાનામની ગુફા જોવામાં આવી. એ અંધારી ગુફામાં એ એરડા હતા. તેમાંથી ભુજંગતા આવી. તેણે મીઠા શબ્દોમાં પ્રાણ મિત્રને પરિચય કરાવ્યા અને જૂની એળખાણ કાઢી. એના ઢોંગ જોઇ મન્દ એમાં લુબ્ધ થયા પણ બુધ તા બધું જોયા કરતા હતા. ભુજંગતાની પ્રેરણાથી મન્ત્ર તેા પ્રાણનું લાલનપાલન કરવા લાગ્યા, પણ મુદ્દે અવલેાકન ચાલુ રાખ્યું. ધ્રાણુને છેડશો નહિ પણ એમાં આસક્તિ રાખી નહિ. મન્દ તે પ્રાણ સંબંધમાં જીવનને લાભ મા નવા લાગ્યા. પૃ. ૧૨૮૭-૧૨૯૪. પ્રકરણ ૧૯ મું-માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ. હવે એ બુધને પુત્ર વિચાર યુવાન થયા, દેશાંતરે નીકળી પડચો, કેટલેક વખતે પાછે। આવ્યા, જાણ્યું કે એના પિતા તથા કાકા (બુધ અને સંદ)ને પ્રાણ સાથે દોસ્તી થઇ છે એટલે પિતાને એકાંતમાં લઇ જઇ વાત કરી: પ્રાણ ઘણા દુષ્ટ છે, સાબત કરવા ચોગ્ય નથી. ભવચક્રમાં ફરતાં મને એક સુંદર સ્ત્રી મળી. તપાસ ફરતાં તે મારી માસી નીકળી તેનું નામ માર્ગાનુસારિતા, મન્નેનું ઓળખાણ થયું. દેશાટનના લાભેા માસીએ વર્ણવ્યા. માસીને મેં કૌતુકા બતાવવા વિજ્ઞપ્તિ કરી. પછી માસીએ મને ભવચક્રમાં ફેરવ્યેા, સાત્ત્વિકમાનપુર, વિવેકપર્વત, જૈનનગર બતાવ્યાં. ત્યાં એક ઘવાયલા રાજપુત્ર દેખાયા. એનું નામ સંયમ, એ યતિધર્મના માણસ થાય. માસીએ જણાવ્યું કે એને હવે સેનાનીએ પાછે! લઇ જાય છે. તે વખતે ચારિત્રરાજ શું કરે છે તે જોવા અમે ચિત્તસમાધાન મંડપે ગયા. સંયમ સુભટને પડેલા મારથી આખી ચારિત્રરાજની સભામાં મોટા ક્ષેાલ થઇ આવ્યા. અમે આ બધું દૂર ઊભા ઊભા શ્વેતા સાંભળતા હતા. સદ્ભાષ મંત્રી સર્વને શાંત પાડતા હતા. તે વખતે તપ શૌચ વિગેરે લડવા તૈયાર થઇ ગયા. ચારિત્રરાજે પ્રથમ સેનાપતિ મંત્રી સાથે વિચારણા કરવા માંડી, એકાંતમાં ગયા. સમ્યગ્દર્શન સેનાપતિના નુસ્સા તે। સમાતા નહાતે, એ તે એક ધાના એ કટકા કરવાની વાતપર હતા. સદ્બધ મંત્રી શાણેા હતેા. એણે આખી રાજનીતિ વર્ણવી, સંધિવિગ્રહના પ્રસંગે। વર્ણવ્યા, છેવટે જણાવ્યું કે આ પણે મૂળના વાંધા છે, મૂળ સંસારીજીવ આપણે તાબે નથી, એ હજુ મેહુને વશ છે, એને સારી માને છે, માટે એ અનુકૂળ થાય નહિ ત્યાં સુધી આપણું ફાવે નહિ. ચિત્તવૃત્તિને રાજા એ છે. આ વાત તેા વખતના વહેવા સાથે બની આવશે. દૂતને મેાક્લવાથી પણ કાંઇ વળશે નહિ. છેવટે સેનાપતિના આગ્રહથી દૂતને મેલવાનું ર્યું. સત્યને દૂત તરીકે મેાહુરાયની છાવણીમાં મેકલ્યા, દૂત ચિત્તવૃત્તિમાં આવેલ ચિત્તવિક્ષેપ મંડપે આવ્યા અને વાત માંડી-આ અટવીને। માલેક સસારીજીવ છે, સ્વામી પણ તે જ છે, માટે એને રાજ્યપર સ્થાપે। અને આપણે સર્વે સેવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy