SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાર, ૨૯ અને બીજા સર્વને સર્વ પ્રકારે હેરાન થયેલા અને વ્યાધિવાળા માનતો હતો. એને લઈ આવનારને એણે આવી આવી વિચિત્ર વાતો કરી હતી એ સર્વનું સેવકોએ વર્ણન કર્યું. ધવળરાજને એ વાત સાંભળી ઘણી નવાઈ લાગી. પૃ. ૧૨૨૨-૧૨૩૧. - પ્રકરણ ૧૨ મું-ઉથ-દિવ્ય દર્શન. આ આશ્ચર્ય કરનાર પ્રસંગ ચાલી રહ્યા છે. વિમળ મનમાં સંકેતાનુસાર સમજી ગયો કે બુધ આચાર્ય ગુપ્ત વેશે પધાર્યા છે. પોતે તેને માનસિક નમસ્કાર કર્યો અને આચાર્યો મનથી તેને ધર્મલાભ આપ્યો. હવે એ દ:ખીની સ્થિતિ જોઈ લોકો એના પર હસતા હતા, કોઇ એની દયા ખાતા હતા ત્યાં તો દુઃખીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું, સર્વને ૧ વર્ષે કાળા, ૨ ભુખ્યા, ૩ તરસ્યા, ૪ થાકેલા, ૫ તાપ ખમનારા, ૬ કઢીઆ, ૭ શળથી પીડા પામતા, ૮ ઘડપણથી જીર્ણ, ૯ તાવવાળા, ૧૦ ગાંડા, ૧૧ આંધળા, ૧૨ પરતંત્ર, ૧૩ દેવાદાર, ૧૪ ઉંઘનારા અને ૧૫ દરિદ્રી કહ્યા અને પોતે તેવા નથી એમ જણાયું. ધવળરાજ વિચક્ષણ હતા, એણે આંખની ઉગ્રતા જોઇ લીધી, કોઈ સિદ્ધ હોવાની કલ્પના કરી અને પોતે તુરત તેને પગે પડ્યા. ઉઠીને જુએ છે તો કમળપર શાંતમૂર્તિ ભવ્યાત્મા મહાત્માને જોયા. સર્વ ચકિત થયા. આવી રીતે સર્વને દિવ્ય દર્શન થયું. મૃ. ૧૨૩૧-૧૨૩૭. પ્રકરણ ૧૩ મું-બુધસૂરિ-સ્વરૂપદર્શન. આખો દેખાવ ફરી જતા સર્વ ખડા થઈ ગયા. પછી રાજાએ ઉપરની પંદરે બાબતનો વિગતવાર ખુલાસે કરવા કહ્યું એટલે શાંત ગંભીર વાણીથી આચાર્ય સંસારીઓ કેમ કાળા છે અને તે કેમ નથી વિગેરે પંદરે બાબતને વિગતવાર ખુલાસે કહ્યો. (જે આંખે વાવા યોગ્ય મૃ. ૧૨૩૭-૧૨૫૫. પ્રકરણ ૧૪ મું-પારમાર્થિક આનંદ. વળી મહાત્માએ પંદરે મુદ્દાઓને સંક્ષેપ કર્યો, અને તે પર મુદાસરનું વિવેચન કર્યું. પછી જણાવ્યું કે સ ધુઓને એ પંદરે પ્રકારનો ત્રાસ હોતે જ નથી, વળી તેઓ અગિયાર સુંદરી સાથે આનંદ કરતા હોય છે. તેઓનાં નામ: ધૃતિ, શ્રદ્ધા, સુખાસિકા, વિવિષિા, વિજ્ઞપ્તિ, મેધા, અનુપ્રેક્ષા, મંત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા. તેઆ સર્વ સુખને જાતે અનુભવ કરે છે અને તે સુખ અનુપમેય છે તે દેને કે અન્ય મનુષ્યને હેતુ નથી. આ ખરો પારમાર્થિક આનંદ છે. પૃ ૧૨૫૬-૧૨૬૦, પ્રકરણ ૧૫ મું-બઠરગુરૂ કથાનક. ઉપરની વાર્તા સાંભળી ધવળ જે મહાત્માને પ્રશ્ન કર્યો કે પ્રાણી આવું જાણે છતાં યેગ્ય રસ્તો શા માટે લેતા નહિ હોય? એટલે ગુરૂ મહારાજે જણાવ્યું કે મહામહને વશ ૫ડી વસ્તુતત્વ વિચારતા નથી, બરગુરૂપ્રમાણે. એ બઠરગુરૂ કોણ હતો તેમ પૂછતાં મહાત્માએ તેની વાત કરી. બઠરગુરૂ દાત. ભવ ગામમાં સ્વરૂપ નામે શિવમંદિર હતું. એ સર્વ વાતે સમૃદ્ધ હતું. સારગુરૂ એનો અધિપતિ હતો પણ એને મંદિરની સમૃદ્ધિને ખ્યાલ નહિ. પછી ધૂતારાઓએ અને એરોએ એની દોસ્તી કરી. ગુરૂ પિતાના કુટુંબને ભૂલી પેલા ચોરોની સેબતમાં પડ્યો રહેવા લાગ્યો. શિવભકતોએ એને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy