SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાર. ૨૭ દર્શનથી એને વીલાસ થયે, ગુણાનુરાગથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પ્રેમથી આવી, પોતાના પૂર્વ સુકનું સ્મરણ થયું અને આત્માનું ઉત્થાન થવા લાગ્યું. તે વખતે વિમળે અંતકરણથી રચૂડનો આભાર માન્યો અને પિતાના પૂર્વ સ્મરણ અને અંતર આનંદ દર્શાવ્યો અને ફરીવાર રચૂડને પગે પડ્યો પૃ. ૧૧૭૯-૧૧૮૫. પ્રકરણ ૭ મું-વિમળનું ઉત્થાન-ગુરૂતરવ૫રિચય. દેવનો પરિચય થઈ ગયો. માર્ગપ્રાપ્તિ થાય ત્યારે આનંદ કેવા થાય છે, સ્થૂળ આનંદ અને આત્મિક આનંદમાં શું તફાવત છે તે એણે બતાવ્યું. પછી વિમળે ફરી ફરીને રચૂડનો આ. ભાર માન્યો, રતચૂડે ઉત્ત૨માં લેકાંતિક દેવને દાખલો આપ્યો, ને પણ વિમળે સારે જવાબ આપે. ધર્મની બાબતમાં નિ મત્ત થ ય તે ખરો ગુરૂ છે એમ તેણે જણાવ્યું. વિમળ કુમારની ભાવના વધતી ચાલી અને એણે તે ધર્મ બનાવનાર તરીકે રચૂડને ગુરૂ માની તેનું ગુણગાન કરવા માંડયું, સંસા૨૫૨ દિ બતાવ્યો અને સાથે માતાપતાને પણ બંધ થાય તો સારું, એવી ઈચ્છા બતાવી તેની આ ચિંતા દૂર કરવાનો ઉપાય રચૂડે બતાવ્યો. પોતાને બુધાચાર્ય નામના ગુરૂને પરિચય થયો હતો તેની વાર્તા કરી. થોડા વખત પહેલાં આ જ કીડાનંદન વનમાં તે ગુરૂને યોગ થયો ત્યારે પોતાના મનમાં કેવી ભાવના થઈ હતી તેનું દર્શન કરી બતાવ્યું અને જણાવ્યું કે પ્રથમ મંદિરમાં ગમે ત્યારે બહાર અતિ કદરૂપે મનુષ્ય ઉપદેશ આપને હતા, પાછો આવતાં અતિ કાંતિમાનું પણ તે જ સ્વરવાળા જોયો. આવું મહાન આશ્ચર્ય જોતાં પોતાને ગુરૂની લબ્ધિશક્તિને ખ્યાલ થયો. પછી ગુ. એ કેવો ઉપદેશ આપ્યો હતો તે વાત કરી અને છેવટે જણાવ્યું કે એ ગુ૩. મહારાજ ને અહીં પધારે તે વિમળના માતાપિતાને પણ બોધ આપે. વિમળે રવચૂડ પાસે ગુરૂ મહારાજને ત્યાં પધારવા વિજ્ઞપ્તિ કરવા કહ્યું તે વાત રચડે સ્વીકારી. સજ્જનમેળાપને આનદ કે છે અને તેમાં કેવી મજા છે તે વાત પર વિવેચન કરતાં મિત્રો છૂટા પડ્યા. આ આખી વાર્તા દરમ્યાન વામદેવ હાજર હતો અન વાત સાંભળતો હતો. પૃ. ૧૧૮૫-૧૧૯૯, પ્રકરણ ૮મું-દૌર્જન્ય અને સૌજન્ય. વામદેવ ઉપરની ઉચી હદની વાતો સાંભળો હતો પણ તેમાં તેનું ધ્યાન ન હતું. તેનું મન તો રનમાં જ લાગી રહ્યું હતું અને તેને કેમ પડાવી લઈ પોતાનું કરવું તેને ઘાટ ઘડ્યા કરતું હતું દશન કરી બહાર આવી નિઃપૃહી કુમાર અને જમીનમાં દાટી રાખવા કહ્યું. કોઈ વાર ખપ પડશે તો જોઈ લેવાશે. વામદેવે નિશાની રાખી અને જમીનમાં દાટવું. બન્ને મિત્રો નગરમાં જઈ પોતપોતાને ઘેર ગયા. વામદેવ રને રવાના વિચારમાં પડ્યો. એણે ઘાટ ઘડા વિમળને પ્રેમ વિસારી દાટેલી જગ્યાએ ગયો, રવને બીજી જગ્યા પર દાટયું, અસલ સ્થાને કપડામાં ૫થ્થર વીંટડ્યો અને જમીનમાં દાટો અને પોતે ઘરે આ. રાત્રે વામદેવને ઉંઘ ન આવી, અનેક વિક૯પ થયા. પ્રભાતમાં ઉઠી રત્રને લઇ આવવા કીડાનંદનમાં ગયે. હવે વિમળ વામદેવને તેડવા એને ઘરે આવ્યો. ત્યાં ન લેવાથી વનમાં તેની પછવાડે ગયે. તે વખતે ગભરાટમાં આગલે દિવસે રતને બીજે ઠેકાણે દાટયું હતું તે વાત વામદેવ ભૂલી ગયે. પથ્થરને ખોદી કાઢી લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy