SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકરણ ૪ થું-રચુડની આત્મકથા. વૈતાઢ્ય પર્વત પર ઉત્તર દક્ષિણ બે શ્રેણી છે. તેમાં સાઠ અને પચાસ વિદ્યાધર નગર છે. દક્ષિણ શ્રેણીમાં ગગનશેખર નામે નગર છે. તેનો મણિપ્રભ રાજા અને કનકશિખા રાણી છે. તેમને રશેખર નામનો પુત્ર છે અને રશિખા અને મણિશિખા નામની પુત્રીઓ છે. રતશિખા એક મેઘનાદ નામના વિદ્યાધરને પરણેલી હતી અને મણિશિખાને અમિતપ્રભ સાથે પરણાવવામાં આવી હતી. એ રતશિખા અને મેઘનાદને પુત્ર રચંડ ( કથા કહેનાર લતાગ્રહવાળો) હતો. અમિતપ્રભ અને મણિશિખાને અચળ અને ચપળ નામના બે પુત્ર થયા. એટલે રચૂડ અને એ બન્ને અચળ ચપળ માસી માસીના છોકરા થયા. હવે રતશેખર રતિકાત્તાને પરણ્યા તેથી તેમને ચૂતમંજરી નામની છોકરી થઈ હતી. એ આ લતાગ્રહમાંની કન્યા છે. મેઘનાદ જે રચૂડના પિતા હતા તેને ચંદન નામના સિદ્ધપુત્ર જૈનધર્મનું સારું જ્ઞાન આપ્યું હતું. પછી રશેખરે સહુધમી તરીકે ચૂતમંજરીના લગ્ન રચૂડ સાથે કર્યા, ત્યારથી પેલા અચળ ચપળ તેનો કેક કરતા રહ્યા અને તેને હેરાન કરવાના માર્ગ શોધતા રહ્યા ત્યાર પછી એમણે કોઈ કાળી વિદ્યા સાધી અને આ બનાવ બન્યો તે જ સવારે તે એ તૈયાર થઈ ગયા હતા એવી ખબર સુખર નામના જાસુદ આપી હતી વળી એક જણ તેની સાથે લડશે અને બીજે ચૂતમંજરીને ઉપાડી જશે એવો સંકેત થયો હતો એ વાત પણ રચૂડના જણવામાં આવી હતી. રતચૂડ બહાદુર હતો પણ હિસાથી ડરતો હતો તેવા દૂર થઈ ગયા અને લતાગૃહમાં આવ્યો હતો. તેની શોધ કરતા પેલા અચળ ચપળ આકાશમાં આવ્યા, તે વખતે મેટી લડાઈ થઈ, પ્રથમ રતચૂડે અચળને હરાવ્યું, પછી ચપળને હરાવ્યો, પણ તેને આ ખી લડાઈ દરમ્યાન ચ મરીને ખ્યાલ આવ્યા કરતો હતો અને મનમાં દુઃખ થતું હતું. આટલી વાત કરી રતચૂડે જરા વિસામો લીધે. પૃ. ૧૧૧૮-૧૧૭૪. પ્રકરણ ૫ મું-વિમળ અને રબચડ-ચતજવી. ઉપરની વાત કરી રચૂડે બહુ આનંદ બતાવ્યું અને બદલો વાળવા ઇચ્છા જણાવી. વિમળ તે નિઃરહી હતો. એણે તો એ વાતને પણ હસી કાઢી. વિમળે અમુલ્ય રત આપવા ઇચ્છા બતાવી અને એના બહુ ગુણો વર્ણવ્યા. વિમળે તો ના જ પાડી. એટલે વળી રાતમંજરીએ વધારે પ્રાર્થના કરી, આગ્રહ કર્યો. રતચૂડે વિમળને લુગડે રત બધી દીધું. વિમળની નિઃસ્પૃહતા આદર્શ હતી. એની આવી ઉદાર શાંતિ જોઈ રતચૂડ પણ આશ્ચર્ય પામ્ય. વિમળે કરેલા ઉપકારને બદલે કેમ વાળ તેને ઊંડો વિચાર કર્યો. પૃ. ૧૧૭૪-૧૧૭૮. પ્રકરણ -વિમળનું ઉત્થાન-દેવદર્શન. રચૂડને તપાસ કરતાં જણાયું કે વિમળમાં મહાનુભાવતા ઘણું છે, પણ હજુ તેણે કોઈ ધર્મનો સ્વીકાર કર્યો નથી. આ ઉપરથી એને ભગવાનના દર્શન કરાવવા ઇચ્છા થઈ અને તે દ્વારા ધર્મબોધ કરી પ્રત્યુપકાર વાળવા નિર્ણય વિમળે મનમાં કર્યો. એ જ કીડાનંદન વનમાં યુગાદિનાથને પ્રાસાદ હતો, રચૂડને પૂર્વ પરિચિત હતો. ત્યાં વિજ્ઞપ્તિ કરીને વિમળને લઈ ગયા, અદ્ભુત સૌંદર્યવાળું મંદિર જોઈને વિમળ ઘણે પ્રસન્ન થયો. મૂર્તિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy