SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ માથાં પછાડ્યાં કરે છે,' કુમારી કન્યા અને બ્રાહ્મણને (અપાત્રને ) મોટી રકમનું દાન આપીને નકામે નિરધનીઓ થઈ જાય છે, પિ“તાને શ્રદ્ધાવાળે અને પાપથી પવિત્ર થયેલો માની અનેક પ્રકારના “ દુઃખ સહન કરે છે, માની લીધેલાં તીર્થોની યાત્રા કરવાની ઇચ્છાથી પોતાનાં ઘર, ધન અને બંધુવર્ગને છોડી દઈને અનેક દુઃખો સહન “કરતો પરદેશમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે, પિતાના મરણ પામેલા “પિત્રીઓને તર્પણ કરવાના ઇરાદાથી અથવા દેવનું આરાધન કર વાના હેતુથી પ્રાણીઓની હિંસા કરે છે (પશુનો યજ્ઞ કરે છે) અને “આવી અનેક બાબતોમાં પૈસાનો વ્યય કરે છે, ત્યાર પછી ભક્તિ રસમાં પોતાના મનને લીન કરી દઈને જે પ્રાણીઓ તપાવેલા “લોઢાના ગોળા સમાન હોય છે તેઓને માંસ ખવરાવીને, દારૂ પાઈને, ધન આપીને અને ખાવાની વસ્તુઓ અર્પણ કરીને રાજી કરવા મથે છે અને એવાં એવાં બીજું કામ ધર્મબુદ્ધિથી લેવાઈ જઈને કરે છે, મનમાં માને છે કે પોતે સાચો ધર્મ કરે છે અને એ રીતે વિવેકી સમજુ પ્રાણીઓના હસવાને પાત્ર પોતે બને છે “અને તેની બુદ્ધિ ધમેના ખોટા ખ્યાલથી એવી બહેર મારી જાય છે કે એવાં કામોમાં કેટલા પ્રાણીઓનો નકામે નાશ થાય છે, પિતાનું ભવિષ્ય કેટલું બગડતું જાય છે, પિતે કેટલે હસવા પાત્ર “થતો જાય છે અને પૈસાનો કેટલો ખોટો વ્યય કરે છે તે બાબત “તેના લક્ષ્યમાં જરા પણ રહેતી નથી. તત્ત્વમાર્ગથી ક ળી ૮ ગયેલા લોકો આવી રીતે પોતાના રાગદ્વેષથી ઉત્પન્ન થ * * | “વિશુદ્ધિ કરવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને મે “ધર્મને સાચો ઉપાય નહિ જાણતા હોવાથી અનેક જીનું મર્દન “ કરે છે અને હાથીના બચ્ચાને ન મેળવતાં તેને બદલે ગધેડાને બાંધે છે. આખરે “તારા તલ યજ્ઞમાં નાખ્યા, અગ્નિમાં તારી ખીર બાળી”—એવું એવું કહીને ધુતારાઓ પારકું ધન ઉડાવતા રહે છે “અને આવા મૂર્ખ માણસો તેને અનુસરતા રહે છે.' વળી તે વખતે - ૧ ગાય, પીપળાને વાંદીને (પગે લાગીને) પોતાનું માથું નકામું ફેડે છેઅથડાવે છે. ૨ અહીં શ્રાદ્ધ સંબંધી સૂચવન છે. ૩ આ દેવીભક્તોને સૂચવે છે. ૪ હાથીને બદલે ગધેડ વહોરે છે, “આદમજી ગયા ને ગધેડ વસાવી આવ્યા એને મળતી આ કહેવત છે. ૫ તલને હોમ કરી યજમાનને જણાવ્યું કે તારાં પાપ બળી ગયાં; આમ કરી લોકોના પિસા ઉડાવે છે અને લોકોના મનમાં ખોટે ભાવ ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy