SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ લાગે છે કે આખી દુનિયાનાં સર્વ પુગલે ખાઈ જવાથી પણ તે ભૂખની શાંતિ થાય નહિ; તેને તરસ એટલી આકરી લાગે છે કે આખી દુનિયાના સર્વ સમુદ્રોનાં પાણી એક સાથે પીવાથી પણ તે છીપે નહિ; ત્યાં તે ઠંડા ક્ષેત્રની ઠંડીથી મહા પીડા પામે છે; ઉણુ-ગરમ ક્ષેત્રમાં ગરમીથી મહા હેરાનગતિ ભોગવે છે; અને એ ઉપરાંત બીજા નારકીના છે તેને અનેક પ્રકારે દુઃખ આપે છે. તે વખતે આ પ્રાણી મહા દુઃખથી આકુળવ્યાકુળ થઈ “હે માતા ! રક્ષણ કર, હે તાત ! હે નાથ! રક્ષણ કરે, રક્ષણ કરે,” એમ રાડ પાડીને બોલ્યા કરે છે, પણ તેના શરીરનું રક્ષણ કરનાર છે ત્યાં હોતું નથી અને આવા ભયંકર દુ:ખમાંથી કે તેને બચાવી શકતું નથી. નારકનાં આવાં ભયંકર દુઃખમાંથી કદાચ મહા મુશ્કેલીએ તે છૂટે તો તિર્યંચ ગતિમાં જન્મ લઈને ત્યાં અનેક પ્રકારની પીડા પામે છે અને દુઃખ સહન કરે છે. તેની પાસે પુષ્કળ બોજો ઉપડાવવામાં આવે છે, લાકડી વડે તેને કુટવામાં આવે છે, એનાં કાન, પૂછડાં વિગેરે છેદી નાખવામાં આવે છે, હજારે કીડાઓ વિગેરે એનું લોહી પીધા કરે છે, તેને ભૂખ સહન કરવી પડે છે, તે તરસથી મરી જાય છે અને જુદી જુદી અનેક પ્રકારની પીડાઓથી દુઃખી થાય છે. ત્યારપછી વળી કઈ વાર આ જીવ મનુષ્યને ભવ પ્રાપ્ત કરે છે તો ત્યાં પણ અનેક દુઃખોથી પીડા પામે છે. હજારે પ્રકારના રોગો તેને દુઃખ ઉપજાવે છે, ત્રાસ આપે છે, હેરાન કરે છે, ઘડપણના વિકારે તેને શિથિલ કરી નાખે છે, નીચ દુર્જને તેને દુઃખ આપે છે, વહાલાના વિયોગો તેને મુંઝવી નાખે છે, અનિષ્ટ વસ્તુઓ કે પ્રાણીઓ સાથેના સંયોગે કે પ્રસંગે મન ઉપર ખરાબ અસર કરે છે, બીજાએતેનું ધન હરણ કરીને તેને રાંક બનાવી દે છે, સગા સંબંધીઓનાં આ કાળ મરણે આકુળવ્યાકુળ કરી નાખે છે અને જુદા જુદા પ્રકારના અધ્યવસાયે તેને વિહળ કરી નાખે છે. કદાચ એ જીવ દેવગતિમાં જન્મ લઈ દેવતા થાય છે તે ત્યાં ૧ આ ક્ષેત્રવેદના કહી. ૨ આ અન્યોન્યકૃત વેદના કહી. ૩ દેવતા, મનુષ્ય અને નારકી સિવાયના સર્વ જીવોને તિર્યંચ સંજ્ઞાથી - ળખવામાં આવે છે. તેમાં એકથી પાંચ ઇંદ્રિયવાળા (દેવ, મનુષ્ય અને નારક સિવાચના) સર્વ જીવોનો સમાવેશ થાય છે. પંચેદ્રિય તિર્યંચમાં જળચર, સ્થળચર, ખેચર આદિ જીવોને સમાવેશ થાય છે. અહીં ખાસ કરીને તિર્યંચ પંચેંદ્રિય જીવોને નિર્દેશ છે એમ સંબન્ધ પરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy