SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પી.ડબંધ ] ચતુર્ગતિદુઃખવર્ણન. ૫૭ છે, વજ્ર જેવા કાંટાઓથી ભરેલા શાહ્સલી વૃક્ષ ઉપર તેને ચઢાવવામાં આવે છે, ચીપીઆવડે મોઢું ઉઘાડીને ચીસ પડાવે તેવું તપાવેલું સીસું તેના મ્હોંમાં રેડવામાં આવે છે, ત્યાં તે પેાતાનુંજ માંસ ખાય છે, અત્યંત તપાવેલી ભઠ્ઠીમાં ભુંજાય છે, પરૂ, ચરબી, લેાહી, મળ, મૂત્ર અને આંતરડાંથી અત્યંત ભયંકર અનેલી વૈતરણી નદીમાં તેને તરવું પડે છે અને તરવારની ધાર જેવાં અણીદાર પાંદડાંવાળાં વૃક્ષાથી ભરપૂર જંગલામાં ખંડ ખંડ થાય છે. આ સર્વ પીડાએ તેને પેાતાનાં પાપથી પ્રેરાયલા પરમાધાર્મિક નામના અસુરો કરે છે. નરકગતિમાં આ જીવ હાય છે ત્યારે તેને ભૂખ એવી સખ્ત ૧ એક જાતના તીવ્ર કાંટાથી ભરેલું ભયંકર નારકીનું ઝાડ. ૨ નારકી સાત છે. તે દરેકમાં મેાટા આયુષ્યવાળા જીવા જન્મે ત્યારથી તે મરણ પામે ત્યાંસુધી અનેક પ્રકારનાં દુ:ખેા અનુભવે છે. ત્યાં સુખનું નામ પણ હેાતું નથી અને દુ:ખ એટલું આકરૂં હાય છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નારકીમાં વેદના ત્રણ પ્રકારની હેાય છે: ક્ષેત્રવેદના, અન્યાન્યકૃત વેદના અને પરમાધામીકૃત વેદના. (૧) ક્ષેત્રવેદનાના વિચાર કરતાં નરકાવાસ બે પ્રકારના છેઃ શીત અને ઉ. તે બન્ને પ્રકારના નરકાવાસમાં શીત અને તાપની વેદના અસહ્ય છે અને એટલી સમ્ર છે કે તેને ખ્યાલ કરવા પણ મુશ્કેલ છે. નારકીનાં શરીરનાં પરમાણુએ પણ તેને અનેક પ્રકારે દુ:ખ આપે તેવાં હેાય છે. શીત અને ઉષ્ણ વેદના ઉપરાંત ખીજી આઠ પ્રકારની વેદના ક્ષેત્ર સંબંધી ગણાવવામાં આવી છે: ભૂખ મટે નહિ, તરસ છીપે નહિ, ખરજ મટે નહિ, પરવશ રહે, નિરંવર શરીરમાં તીવ્ર તાવ-તાપ રહ્યા કરે, શરીર તાપમય થઈ ય, ભય અત્યંત થયા કરે, રોક બહુ સખ્ત રહે. આવી રીતે કુલ ક્ષેત્રવેદના દશ પ્રકારની બતાવી છે. (૨) અન્યેાન્યકૃત વેદના: નારકીના છત્રેા વૈક્રિય શરીરવાળા હેાવાથી તેઓનું પારા જેવું શરીર છૂટું પડતાં પાછું એક થઇ જાય છે. પૂર્વ વૈર સંભારી નારક જીવે! એક બીજા સાથે અનેક પ્રકારનાં યુદ્દો મચાવે છે, કાપાકાપી કરે છે, સામા જીવને ત્રાસ આપે છે અને જાતે દુ:ખી થાય છે; તેવાં યુદ્ધ કરવા માટે પેાતાનાં શરીરે અને શસ્રો પણ અનેક આકારનાં બનાવે છે અને આવી રીતે પરસ્પર એક ખીજાનાં દુ:ખમાં માટેા વધારો કરે છે. (૭) પરમાધામીકૃત વેદના: તુચ્છ જાતિના અસુરે કે જેઓ અન્યને દુ:ખ દેવામાંજ રાજી થાય છે તેએ ઉપર ગ્રંથમાં જણાવ્યું તેમ નારકીના જીવાને અનેક પ્રકારનાં દુ:ખે। આપે છે, ત્રાસ પમાડે છે અને તેએને રડતાં, રાડા પાડતાં, દુ:ખી થતાં જોઇ આનંદ માને છે. આ અસુરાને પરમાધાર્મિક અસુરા કહેવામાં આવે છે. નરકગતિનાં દુઃખનેા ચિતાર જૈન દૃષ્ટિએ યાગમાં (પ્ર. વિ) પૃ. ૧૫૧૧૫૪ સુધી વાંચી વિચારી જવા ભલામણ છે. એ વિષય પર ત્યાં વિસ્તારથી ઉલ્લેખ માલૂમ પડશે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy