SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ પછી આ પ્રાણી કાર્ય કે અકાર્યના વિચાર કરી શકતા નથી, અમુક વસ્તુ ખાવા યોગ્ય છે કે નહિ તેનું સ્વરૂપ કળી શકતા નથી, અમુક પ્રવાહી પીવા યોગ્ય છે કે નહિ તેનું સ્વરૂપ જાણી શકતા નથી, અમુક વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે કે ગ્રહણ કરવા યોગ્ય છે તે સમજી શકતા નથી, પેાતાને અને પારકાને ગુણુ અને દોષના નિમિત્ત કારણ શું છે તે લક્ષ્યમાં લઇ શકતા નથી. પછી તે ખાટા તર્કથી વિચારશક્તિને ભરી દઇને વિચારે છે કે-પરલેાક ન હેાવા જોઇએ, સારાં ખરાબ કર્મનું ફળ હોઇ શકેજ નહિ, આત્મા જેવી કોઇ વસ્તુ હેાવાના સંભવ લાગત નથી, કોઇ પ્રાણી સર્વજ્ઞ હાઇ શકે નહિ, હાવાને દાવા કરી શકે નહિ અને સર્વજ્ઞે બતાવેલો મેાક્ષમાર્ગ હોઇ શકે નહિ–વિગેરે વિગેરે.' આવા આવા વિચાર કુતીર્થીના પરિચયથી અને માઝા સંકલ્પોથી વારંવાર થયા કરે છે તે સર્વ આ જીવને પીડા આપનાર દુર્રાન્ત-તાફાની છેકરાઓ સાથે સરખાવવા યોગ્ય છે. શુદ્ધ તત્ત્વજ્ઞાનથી ઉલટી દિશાએ પેાતાનું વલણ રાખીને પછી અતત્ત્વમાં પેાતાનું મન લગાડે છે અને તેને પરિણામે તે પ્રાણીઓની હિંસા કરે છે, ખાટું બેલે છે, પારકાનું ધન ચેરી લે છે, પરસ્ત્રી સાથે વિષયસેવન કરે છે, પરિગ્રહના સંચય કરે છે, પેાતાની ઇચ્છાનું માપ કરતા નથી, હદ બાંધતા નથી, માંસ ખાય છે, દારૂ પીએ છે, કોઇ સારો ઉપદેશ આપે તે ગ્રહણ કરતા નથી, ખાટા માર્ગના પ્રકાશ કરે છે, નમસ્કાર કરવા યોગ્ય મહાત્મા પુરુષાની નિંદા કરે છે, નમસ્કાર ન કરવા યાગ્ય હાય તેની સેવા કરે છે, પેાતાના અને પારકાના ગુણ દોષના નિમિત્ત કારણ તરફ દોડે છે અને બીજા માણસાની નિંદા કરે છે અને એવી રીતે સર્વ પાપે આચરે છે. એવી રીતે અનેક પાપે આચરવાને લીધે તે પ્રાણી આકરાં કર્મો બાંધે છે, તેને લઇને તે નરકમાં પડે છે. ત્યાં ( નરકમાં) તે કુંભીપાકવડે રંધાય છે, કરવતવડે વેરાય પાપાચરણથી થતાં દુ:ખા. ૧ ધન, ધાન્ય, ધર વિગેરે વસ્તુઓનું એકઠું કરવું તેને પરિગ્રહ કહેવામાં આવે છે. ૨ અમુક ખાખત સારી છે કે ખરાબ છે તે જાણે, પણ તેમ થવાનું કારણ પેાતાનાં કર્મ વિગેરે છે તેને ધ્યાનમાં લેતેા નથી. શુદ્ધ પાઠ દ્ધતિ સ્વપયોન વિષેસ્ પેાતાનું ખરેખરૂં અને પારકું તે બે વચ્ચે તફાવત સમજતા નથી. ાતિ સ્વર્ રચોળુંળવોષનિમિત્તમ્ એવેા પાઠ હેય તા એને અર્થ એમ કરવા કે ગુણ દોષનાં નિમિત્તોબાહ્ય કારણા તરફ ધ્યાન આપે છે, અંદર પ્રવેશ કરી શકતા નથી. સુજ્ઞ મનુષ્યા નિમિત્ત કારણ તરફ જતા નથી પણ ઉપાદાન કારણને શેાધે છે. ૩ નરકને ભયંકર અગ્નિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy