SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] ભિખારી-ભીક્ષા–ત્રાસ. પપ પર આળોટતે હેવાથી આ પ્રાણીનાં સર્વ અંગો અને ઉપાંગો જાણે દળાઈ ગયાં હોય એ તે દેખાય છે. જેમ તે ભિખારીનું આખું શરીર ધૂળથી મલિન થઈ થયેલું હતું તેમ નિરંતર બંધાતાં પાપકર્મોનાં પરમાણુરૂપ ધૂળથી આ જીવનું આખું શરીર મલિન છે. જેમ ફાટેલ તૂટેલ કપડાથી તે ભિખારીનું શરીર નહિ જેવું ઢંકાયેલું હતું તેમ આ જીવની આકૃતિ પણ મેહની કળાઓને સૂચવનારી નાની નાની ધજાઓથી વીંટાયેલી છે અને મહા ભયંકર રૂપ ધારણ કરે છે. તે દરિદ્રીને નિંદનીક અને દીન (ગરીબડે-રાંક) કહેવામાં આવ્યું તેમ આ જીવ પણ વિવેકના સ્થાનભૂત સજજનોથી નિંદા પામે છે અને ભય શોક ઉત્પન્ન કરનારાં તુચ્છ કર્મોથી ભરેલું હોવાને લીધે અત્યંત દીન-રાંક છે એમ સમજવું. પેલે નિપુણ્યક ભિખારી અદષ્ટમૂલપર્યત નગરમાં આખો વખત ભિખ લેવા માટે ઘેર ઘેર ભટકે છે એમ કહ્યું તેમ આ ભિક્ષાપાત્ર જીવ પણ સંસારનગરમાં વિષયરૂપ તુચછ ભજન અને અટન. મેળવવાની આશાના પાશમાં વીંટાળાઈ રહી એક જન્મમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ ઉચાં નીચાં ઘરમાં આખો વખત ભટક્યા કરે છે. ભિખ લેવા માટે તેની પાસે ભાંગેલું-ખોખરૂં ઠીકરું છે એમ કહેવામાં આવ્યું હતું તે વાસણને સ્થાનકે આ જીવનું આયુષ્ય સમજવું, કારણ કે તે વાસણુજ વિષયરૂપ કુત્સિત અન્નને અને ચારિત્રરૂપ મહાકલ્યાણ કરનાર ભોજનને લેવાનો આધાર છે અને તે શરીરને લઈને જ આ જીવ વારંવાર સંસાર નગરમાં ભટકે છે. તે રાંક ભિખારીને દુદન્ત છોકરાઓ વારંવાર મારતા હતા અને તેના પર થયેલા લાકડી, મુઠી અને માટીના પ્રહારથી તોફાની તે અધમુઓ થઈ ગયે હતું એમ કહેવામાં આવ્યું હતું છોકરાઓ. તે આ જીવના ખોટા વિકલ્પો, શુષ્ક તર્કો, તેને ઉત્પન્ન કરનાર ગ્રંથે અને તેવા ગ્રંથના ઉપદેશક કુતીથીઓ સમજવા. તેઓ જ્યારે આ બાપડા જીવને જુએ છે ત્યારે તેના તરફ સંકડે ખોટા હેતુરૂપ મુગના ઘા કરીને તેના તત્ત્વાભિમુખ શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. આવી રીતે પિતાનું શરીર જર્જરિત થઈ ગયા ૧ મેહના જૂદા જૂદા આવિર્ભાવો. ૨ શુષ્ક ત આ જીવને ખોટી દલીલ પૂરી પાડે છે અને સત્ય માર્ગથી દૂર રાખે છે, એથી એના તત્કાભિમુખ શરીરને ઘા લાગ્યા કરે છે એટલે તે સત્ય તત્ત્વ પામી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy