SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉપમિતિ ભવ!પંચા કથા. [ પ્રસ્તાવ ૧ ઉત્પન્ન થાય છે, એકલા મરણ પામે છે, અને પેાતાનાં કર્મ પ્રમાણે એકલા સુખ અથવા દુઃખ અનુભવે છે અને તે પ્રમાણે હોવાથી પરમાર્ચથી કોઇ તેના સગા કે સંબંધી નથી. તે નિપુણ્યક ભિખારી દુર્બુદ્ધિ છે એમ કહ્યું તેમ આ જીવ પણ ઘણા મૂર્ખ છે, કારણ કે અનેક દુઃખ આપનાર ઇંદ્રિયના વિષયાને પ્રાપ્ત કરીને તે રાજી થાય છે, પરમાર્થથી તેના ખરા દુશ્મના કષાયા છે તેની તે સેવા કરે છે અને ભાઇઓની જેમ તેની સાથે વર્તે છે, મિથ્યાત્વ ( અનુપણું ) જે ખરેખરી રીતે અંધપણું છે તેને શુભ દષ્ટિરૂપ ગણી તેનેા આદર કરે છે, નરકમાં પડવાના કારણરૂપ `અવિરતિપણામાં આનંદ માને છે, અનેક પ્રકારના અનર્થોને ઉત્પન્ન કરનાર પ્રમાદસમૂહ ( આળસ વિગેરે) રૂપ શત્રુએ તરફ જાણે તેઓ પેાતાના અતિ વહાલા મિત્ર હેાય તેમ વહાલથી જુએ છે, મન, વચન, કાયાના અશુભ યોગેા તેના ધર્મધનને લુંટનારા હાવાથી ખરેખરી રીતે ચાર જેવા છે તેને તે બહુ પૈસા પેદા કરનાર કમાઉ દીકરા જેવા ગણે છે અને પુત્ર શ્રી ધન સુવર્ણ વિગેરે સંસારમાં આકરાં બંધન જેવાં છે છતાં તેને અત્યંત આનંદનાં કારણ માને છે– આ પ્રમાણે હોવાથી આ જીવ અત્યંત દુર્બુદ્ધિ છે. પેલા ભિખારીને પૈસા વગરને દરિદ્રી ખતાન્યેા તેમ આ જીવની પાસે શુદ્ધ ધર્મની એક કાઢિ પણ ન હેાવાથી તે દારિદ્રચની મૂર્ત્તિજ છે. જેમ તે દરિદ્રીને પુરુષાર્થ વગરને કહેવામાં આવ્યા તેમ આ જીવ પણ પેાતાના કર્મબંધનના ‘હેતુઓના નાશ કરવાની શક્તિ વગરના હાવાથી પુરુષકાર વગરના છે એમ સમજવું. જેમ તે ભિખારીનું શરીર ભૂખથી લેવાઇ ગયું હતું એમ કહેવામાં આવ્યું છે તેમ વિષયસેવનની ઇચ્છારૂપ આ જીવની ક્ષુધા કદિ પણ શાંત થતી નહિ હોવાને લીધે ભૂખથી લેવાઇ ગયેલા શરીરવાળે તેને સમજવા. તે કમકને અનાથ કહ્યો તેમ આ જીવને પણ સર્વજ્ઞરૂપ નાથ-સ્વામી મળેલા નહિ હાવાને લીધે તે અનાથજ છે. તે ભિખારીનાં હાડકાં જમીન ઉપર શયન કરવાથી છેલાઇ ગયાં હતાં તેમ અત્યંત ખરાબ આકરાં પાપાની ભૂમિ દારિદ્રચમૂર્ત્તિ. ૧ ત્યાગભાવને વિરતિપણું કહેવામાં આવે છે, તેથી વિરૂદ્ધ અવસ્થા-ત્યાગ નહિ કરવાપણાના ભાવને અવિરતિપણું કહેવામાં આવે છે. ૨ કર્મબંધનના હેતુ ચાર છે. મિથ્યાત્વ (અજ્ઞાન ), અવિરતિ ( ઉપર જીએ) કષાય અને યેાગે. એને નાશ કરવામાં પુરુષાર્થ-આત્મવીર્યની બહુ જરૂર પડે છે. રૂ શક્તિ, તાકાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy