SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫8 પીઠબંધ] નગર જના. અંધ કપિમાં જેમ પાણીના કલ્લોલ થયા કરે છે અને અનેક પક્ષીઓ ત્યાં આવીને વસે છે તેવી રીતે આ સંસાર પણ ઈષ્ટવિયોગ અનિષ્ટસંગ વખતે પહેલાં આંસુઓથી ભરપૂર રહે છે અને મિથ્યાત્વવાસિત પ્રાણુઓના તે આધારભૂત હોય છે એટલે ઈષ્ટવિયેગ અનિષ્ટસંગ વખતે જે અપધ્યાન થાય છે તે બહુધા મિથ્યાત્વઅવસ્થામાં બહુ જોરમાં હોય છે તેવા મિથ્યાત્વવાળા પ્રાણીરૂપ પક્ષીઓ આવા અંધ કૂપમાં આવીને પોતાના માળા નાખે છે. તે નગરમાં ફળ ફૂલથી ભરપૂર અનેક વનો છે એમ કહ્યું છે તે આ સંસાર નગરમાં પ્રાણીઓનાં શરીર સમજવાં, કારણ કે જેમ વન-જંગલો ભમરાના ગુંજારવથી અનેક પ્રકારનો ત્રાસ આપે છે અને તેનું મૂળ શોધી કાઢવું અશક્ય થઈ પડે છે તેવી રીતે શરીરરૂપ વનમાં ઇંદ્રિય અને મનરૂપ ભમરા નિરંતર ગુંજારવ કર્યા કરે છે અને ત્રાસ આપ્યા કરે છે તેમજ પિતાનાં કમૅરૂપ જુદા જુદા પ્રકારનાં ઝાડે, ફૂલ અને ફળના ભારથી ભરેલ હોવાને લીધે તે દુઃખનું કારણે થાય છે અને તેના મૂળને પત્તે. લાગતું નથી; એટલે જીવનો અને શરીરનો સંબંધ કયારથી શરૂ થયો તે સંબંધી સમજણ એકદમ પડી શકતી નથી. આવી રીતે જેમ તે અષ્ટમૂલપર્યત નગર અનેક આશ્ચર્યોથી ભરપૂર કહ્યું છે તેવી રીતે આ સંસારનગરમાં પણ અનેક પ્રકારનાં આશ્ચર્યો થયાં કરે છે. નિપુણ્યક દરિદ્રી. એ અદષ્ટમૂલપર્યત નગરમાં નિપુણ્યક નામને ભિખારી છે એમ કહ્યું છે તે આ સંસારમાં સર્વશ શાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીં તહીં ચારે ગતિમાં રખડનારે મારો જીવ જાણવો. તે પુણ્ય વગરનો હોવાથી તેનું નિપુણ્યક નામ આપવામાં આવ્યું છે તે ચોગૃજ છે. તે દરિદ્રને મેટા પેટવાળે કહેવામાં આવ્યો છે તેમ આ જીવ વિષયરૂપ કુજનથી કદિ ધરાતો ન હોવાને લીધે ઘણું ખાવાથી મેટા પેટવાળે છે એમ સમજવું. એ નિપુણ્યક દરિદ્રી સગા સંબંધી વગરનો છે એમ કહેવામાં આવ્યું છે તેમ આ જીવના સંબંધમાં પણ બરાબર સમજવું એટલે કે તે અનાદિ કાળથી સંસારની રખડપટ્ટીમાં એક ૧ જુએ આ પુસ્તકનું પૃષ્ઠ ૧૬. આને સંબંધ તે પૃષ્ઠ સાથે છે. ૨ જૈનશાસન. ૩ આ ગ્રંથના કરનાર સિદ્ધાર્થ ગણિ આ આખા પ્રસ્તાવમાં પોતાની વાત કરે છે. તેઓ માર્ગ પર આવ્યા પહેલાં પોતાની જાતને કેટલી નિદે છે તે વિચારવા યોગ્ય છે. દરેક જીવે એ હકીકત એટલે જ દરજજે પોતાની જાતને લાગુ પડે છે એમ સમજી લેવું. નિષ્પકની આખી હકીક્ત ખાસ મનન કરી વિચારવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy