SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ બતાવેલા ફદર્શન-કમતે સમજવાં; એ રાજમંદિરમાં કીડામાં કલકલ અવાજ કરનારા બાળકની વાત કહેવામાં આવી છે તે આગળ પાછળની હકીકતને વિચાર નહિ કરનારા મોહથી ભ્રમમાં પડી જનારા બાળ લે-ભેળા અજ્ઞાની જીવો સમજવા, બીજી રીતે એ કુમત પોતે પણ કલકલ કરતા બાળક જેવી ચેષ્ટા કરે છે અને આગળ પાછળ સંબંધ વિચાર્યા વગર જેમ આવે તેમ પરસ્પરવિરોધી વાક્યો પણ કહી દે છે. એ નગરમાં ઊંચા ઊંચા કેટ-કિલ્લાઓ કહ્યા તે આ સંસાર નગરમાં ક્રોધ, માન, માયા, ભરૂપ ચારે કષાય છે; એને નગર વન કિલ્લા જેવા ગણવાનું કારણ એ છે કે જેમ કિલ્લાર્ણન વિવેક. આથી ઘેરો ઘાલવા આવનાર શત્રુઓનાં મનમાં ઉદ્વેગ થાય છે તેમ આ ચારે કષાયો વિવેકી મહાપુરુષોનાં મનમાં પણ ઉદ્વેગનું કારણ ઉત્પન્ન કરે છે. તે નગરની આસપાસ ઓળંગી ન શકાય એવી ખાઈ કહેવામાં આવી છે તે રાગ દ્વેષરૂપ તૃષ્ણા સમજવી, કારણ કે જેવી રીતે સાધારણ ખાઈ ચાર વિગેરેથી એલંધી શકાતી નથી, માત્ર પ્રબળ શત્રુજ તેના પર સામ્રાજ્ય મેળવી તેને ઓલંધી શકે છે તેમ આ તૃણુરૂપ ખાઈ સંસાર નગરને બરાબર તરફ વીંટાઈ રહી તેનું રક્ષણ કરે છે અને મહામેહમાંજ એટલું સામર્થ્ય છે કે તે તેને ઓલંઘી જાય છે; એટલે એ ખાઈ કરતાં પણ મહાહનું જોર વધારે છે. તે નગરમાં મોટાં સરોવર છે એમ કહેવામાં આવ્યું છે તે શબ્દ વિગેરે વિષયે સમજવા, કારણ કે તે વિષય જળથી કદિ ભરાઈ શકતા નથી અને ઘણું ગંભીર છે. એટલે જેમ મોટાં સરેરે જળથી કદિ પૂરાં ભરાઈ શકાતાં નથી તેમ આ ઇંદ્રિયોના વિષયો પણ વિષયરૂપ જળથી કદિ પૂરા ભરાઈ શકાતા નથી એટલે એને ભેગવનાર કદિ તૃપ્ત થઈ શકતા નથી અને સરવરેની પેઠે તે બહુ ઊંડા હોય છે એટલે તેના મૂળ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી પડે છે. તે નગરમાં શત્રુને ત્રાસ કરે તેવા મોટા ભયંકર યુવાઓ કહ્યા તે આ સંસાર નગરમાં પ્રિયં' (વસ્તુ અથવા વહાલા)નો વિયોગ, અનિષ્ટ (પસંદ ન પડે તેવા પદાર્થો અથવા સંબંધીઓ)ને સંગ, સંબંધીનું મરણ, ધનનું હરણ વિગેરે ભાવ સમજવા, કારણ કે ૧ પ્રિયવિયેગ, અનિષ્ટસંગ એ આર્તધ્યાનના ભેદે છે. એનું વિસ્તારથી સ્વરૂપ જાણવાના ઇછકે જૈન દષ્ટિએ યોગ (પ્ર. ભાગ) પૃ. ૧૭૧-૧૩૩ ની હકીક્ત વિચારણુપૂર્વક મનન કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy