SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] દીનતા અને રોગોનું રહસ્ય. પણ જુદા જુદા પ્રકારની વેદનાઓ સહન કરે છે. ઇદ્ર કાંઈ પણ હુકમ તેને ફરમાવે તે પરવશ થઈને તે હુકમ તેને ઉઠાવવો પડે છે, અન્ય દેવોનો વૈભવ જોઈને તેને વારંવાર અદેખાઈ આવ્યા કરે છે, પૂર્વ ભવમાં પોતે ભૂલ કરી હોય તેનું સ્મરણ થવાથી દુઃખ થાય છે એટલે શુભ ક્રિયા કરવામાં ગયા ભવમાં અમુક અમુક કચાશ રાખી તેથી આ ભવમાં પૂર્ણ ઋદ્ધિ, અધિકાર કે મહત્તા મળ્યાં નહિ એવી ક૯૫ના વારંવાર થયા કરે છે, અન્ય દેવેની સુંદર યુવતીઓ કે જે પિતાને વશ થાય તેમ ન હોય તેની પ્રાર્થના કરવાને પરિણામે નાસીપાસી થવાથી અથવા તેઓ પોતાની પ્રાર્થના કરે તો તેને તૃપ્ત કરવાની પિતાની શક્તિ ન હોવાથી મનમાં બળી જાય છે, તેને સંગ કેવી રીતે થાય તેના વિચારે વારંવાર થતા હોવાથી મનમાં શલ્ય રહ્યા કરે છે, મોટી ઋદ્ધિવાળા દેવતાઓથી વારંવાર નિંદા પામે છે, પિતાને મરવાન (ચવવાનો સમય નજીક જાણી અત્યંત વિલાપ કરે છે અને છેવટે સર્વ પ્રકારના અશુચિના સ્થાનકભૂત ગર્ભના કાદવમાં પડે છે. આવા પ્રકારની સ્થિતિ હોવાથી તે દરિદ્રીના વર્ણનમાં સર્વ અંગે ઉપર મોટા મોટા ઘા વાગવાથી થયેલ તાપને લીધે દરિદ્રીને આકુળવ્યાકુળ થઈને તે બહુ હેરાન થઇ ગયો હતો દીન શબ્દ. અને “ઓય મા! મરી ગયે, મને બચાવ, મને બચાવ, એવા એવા શબ્દો તે વારંવાર બોલતો હતો” એ મતલબની હકીકત કહેવામાં આવી હતી તે આ જીવને સર્વ બરાબર બંધબેસતી આવે છે, કારણ કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવતે વારંવાર તે નિસાસા મૂકે છે, તેના શરીરમાં તાપ આવ્યા કરે છે અને તે વારંવાર રાંક-બાપડ-બિચારો થઈ જાય છે. આ સર્વનું કારણ તેના પિતાના જુદા જુદા પ્રકારના માઠા વિકલ્પો, તેને સંપાદન કરાવનાર કુદર્શનગ્રંથો (અન્ય ધર્મનાં પુસ્તક) અને તે પુસ્તકના બનાવનાર અને મત ચલાવનાર કુગુરુએ છે. ---------- ૧ દેવતા અવાધજ્ઞાન કે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વ ભવ સંબંધી હકીકત ઉપયોગ મૂકીને જાણી શકે છે. જેઓને સમ્યગુ બેધ થયો હોય છે તેને અવધિજ્ઞાન હોય છે અને બાકીનાને વિર્ભાગજ્ઞાન હોય છે. આ ગતિ આશ્રયી જ્ઞાન હોવાથી સર્વ દેવોને હોય છે, ૨ જુઓ આ પુસ્તકનું પૃષ્ઠ ૧૬ મું (નિપુણ્યકનું વર્ણન). બેંગાલ ર. એ. સાસાયટિના મૂળ પુસ્તકનું અહીંથી ૫૧ મું પૃષ્ઠ શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy