SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ આગળ તે ભિખારીના શરીરમાં ઉન્માદ વિગેરે રોગે બતાવવામાં આવ્યા તે આ જીવના સંબંધમાં મહામહ વિગેરે સમજવા. ઉન્માદ સનેપાત જેવા વ્યાધિ છે, જેની અસર તળે પ્રાણી અનેક પ્રકારનાં અકાર્યાં કરે છે, તેવી રીતે માહ-મિથ્યાત્વ અજ્ઞાનથી અનેક પ્રકારનાં ન કરવા યાગ્ય કાર્યોની પરંપરા આ પ્રાણી કરે છે તેથી ઉન્માદ તે માહ સમજવે. તાવ આવવાથી આખા શરીરે ગરમી થાય છે તેવી રીતે રાગ ( પરવસ્તુ વિગેરે તરફ પોતાપણાના આકર્ષણ ને લીધે સર્વ અવયવેામાં એક જાતની ગરમી આવે છે, તેથી તાપ તે રાગ સમજવેા. જેમ રાળના વ્યાધિ થવાથી હૃદય ઉપર અને પાંસળાંઓમાં સખ્ત પીડા થાય છે તેમ દ્વેષ ( અન્ય વસ્તુ અને પ્રાણી તરફ તિરસ્કારની લાગણી )ને લીધે હૃદયમાં વેરની સખ્ત વેદના ચાલે છે અને મનમાં ગ્લાનિ રહ્યા કરે છે, તેથી શૂળ તે દ્વેષ સમજવા. જેમ ખસ થવાથી સર્વ અવયવામાં ખુજલી આવે છે તેમ કામ (વિષયસેવનઇચ્છા થી વિષયસેવનરૂપતીત્ર અભિલાષા ઉત્પન્ન થાય છે અને તેમાં મન વળગેલુંજ રહે છે, તેથી ખસ તે કામ સમજવા, જેમ ગળતા કાઢના વ્યાધિવડે માણસ લોકો તરફથી નિંદાય છે અને મનમાં અનેક પ્રકારના ઉદ્વેગા થયા કરે છે તેવી રીતે ભય, શાક અને અરતિ ( અપ્રીતિ )થી થયેલી દીનતાથી પણ લોકોનાં મનમાં મા દીન પ્રાણી માટે ખરામ વિચારો આવે છે અને દીન પ્રાણીને પેાતાને પણ અનેક પ્રકારના ઉદ્વેગા થયા કરે છે, તેથી દીનતા તે ગળતા કેઢનો વ્યાધિ સમજવા. આંખના વ્યાધિથી જેમ દેખવાની શક્તિના નાશ થાય છે તેમ અજ્ઞાન ( અંધકાર-જ્ઞાનનું આચ્છાદન )થી વિવેકદૃષ્ટિ-સાચું ખાટું પારખી લેવાની શક્તિના નાશ થાય છે, તેથી તે દરિદ્રીના નેત્રરોગને સ્થાને અજ્ઞાન સમજવું. જળાદરના વ્યાધિથી જેમ કાર્ય કરવાના ઉત્સાહના નાશ થઇ જાય છે તેમ પ્રમાદથી ધર્મનાં શુભ અનુષ્ઠાના (ક્રિયા-પ્રતિક્રમણ વિગેરે ) કરવા તરફ જે ઉત્સાહ હોય છે તેના નાશ થઇ જાય છે અને પ્રાણી મંદ ઉત્સાહવાળા થઇ જાય છે, તેથી જળેાદરની સાથે પ્રમાદની સરખામણી કરવી. આ પ્રમાણે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, દીનતા, અજ્ઞાન અને પ્રમાદ વિગેરે ભાવ રગેથી આ પ્રાણી હેરાન ગેાનાં ઉપા હેરાન થયાજ કરે છે અને તેની મુંઝવણથી તે દાન કારણેા. શુભ વિચાર કરી શકતા નથી, તેટલા માટે હાલ તેને ખાવા યોગ્ય ન ખાવા ચાગ્યના વિવેક ( ભક્ષ્યાભક્ષ્યના સ્વરૂપનું ૧ આ વ્યાધિમાં પેટ મેાટું થઇ જાય છે અને કાઇ કામ કરવાની હોંરા થતી નથી. ભિખારી ના રાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy