SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] અનર્થનાં બાહ્ય અંતરંગ કારણો. જ્ઞાન) પીવા યોગ્ય ન પીવા યોગ્ય વિવેક (પિયારેય વિચાર ) ના હોવાથી તેના પિતાના સંબંધમાં મોટે અંધકાર પ્રવર્તતો હતો અને તે અંધકારમાં તે મુંઝાઈ ગયો હતો એમ હકીકત દરિદ્રીના વર્ણનમાં અગાઉ બતાવી હતી અને પરલોક નથી, શુભ અશુભ કર્મનું ફળ નથી એવા અને એવી જાતના અનેક કુવિકો તેને થતા હતા. આ અજ્ઞાન અને વિકલ્પ બન્નેને ઉત્પન્ન કરનાર સહકારી કારણ તરીકે બાહ્ય કારણોમાં કુતર્કના ગ્રંથ અને તેને પ્રવર્તાવનારા તેના ઉપદેશકે છે એમ સમજવું અને રાગ દ્વેષ મેહ વિગેરે ઉપાદાન કારણ તરીકે આંતરંગ કારણું પૂરાં પાડે છે એમ વિચારવું અને તે ઉપરથી આ પ્રાણીને અનેક પ્રકારની પીડાઓ થાય છે તેને ઉત્પન્ન કરનાર અને ફેલાવનાર પરમાથેથી એ રાગ, દ્વેષ ને મોહ છે એમ સમજવું. એમાં એટલી હકીકત લક્ષ્યમાં રાખવાની છે કે કુશાસ્ત્રના સંસ્કાર તે કોઈ કઈ વખત થાય છે અને એ પીડાઓને ઉત્પન્ન કરવામાં કારણભૂત રાગ, દ્વેષ ને મોહ વિગેરે તે પિતાને ભાગ સર્વ વખત ભજવ્યા કરે છે, નિરંતર આ પ્રાણીને અનર્થપરંપરા ઉત્પન્ન કરે છે અને હમેશા તેને અજ્ઞાનદશામાં રાખે છે. એ ઉપરાંત એમાં બીજી પણ એક વાત છે અને તે એ કે કુદર્શનના અભિપ્રાયનું શ્રવણ કરવામાં આવે છતાં તે અનર્થપરંપરાનું કારણ થાય અને ન પણ થાય, એટલે અન્ય મતના દર્શન ગ્રંથોના વાંચન મનનથી અનર્થપરંપરા કે પ્રાણીઓને થાય અને કેઈને ન પણ થાય એવો તેમાં વિકલ્પ છે, એક સરખો નિયમ નથી; પરંતુ રાગ દ્વેષ વિગેરે આંતર કારણે જે ઉપર બતાવ્યાં છે તે સેવવામાં આવે તો જરૂર અનકૅપરંપરા થાયજ છે, એમાં કઈ જાતની શંકા છે કે પ્રકારનો વિકલ્પ નથી. એ રાગ દ્વેષ મહ વિગેરેને વશ પડેલો અને તેઓના જોરથી દબાઈ ગયેલ પ્રાણી અજ્ઞાનરૂપ મહાન અંધકારમાં પ્રવેશ કરે છે, મનને વિપરીત કરી નાખે તેવા ખોટા વિકલ્પો કરે છે, ઍક ન કરવા યોગ્ય કાર્યો કરે છે અને તેને લઈને મહા આકરાં કર્મોને સમૂહ એકઠા કરે છે. આવાં આકરાં કમાં એકઠાં કરવાને પરિણામે કઈ વખતે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે, કેઈ વખત મનુષ્યગતિમાં જન્મ લે છે, કઈ વખત પશુભાવ ધારણ કરે છે અને કઈ વખત નરકમાં પડે છે અને ઉપર ચારે ગતિઓને ૧ અહીં આ પ્રાણીના સંબંધમાં અનર્થ પરંપરા કરનાર કારણોમાં બાહ્ય અને આંતર કારણને ભેદ પાડવામાં આવ્યો છે તે બરાબર સમજવો. અન્ય ગ્રંથો બાહ્ય કારણ છે, ઉપાદાન કારણ તો મેહ-અજ્ઞાનજ છે એ બરાબર ધ્યાનમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy