SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ દુઃખનું વર્ણન આપ્યું છે તે પ્રમાણે ત્યાં અનંત વાર અરઘટ્ટઘટ્ટી ન્યાયે મહા દુ:ખાને વારંવાર જાતે અનુભવે છે અને ચારે તરફ ભટક્યા કરે છે. આ પ્રમાણે હાવાથી ભિખારીના વર્ણનમાં કહેવામાં આવ્યું હતું કે “ તેને ઠંડીની, ગરમીની, ડાંસની, મચ્છરની, ભૂખની, તરસની–એમ અનેક પીડા થતી હતી અને તેથી હેરાન થતા, દુ:ખ પામતા, ત્રાસ પામતા નારકીના જીવાની જેવી વેદના તે સહન કરતા હતા.” તે સર્વ આ પ્રાણીના સંબંધમાં બરાબર મળતું અને અંધબેસતું આવે છે એમ સમજવું. r ત્યારપછી તે દરિદ્રીના સંબંધમાં કહેવામાં આવ્યું હતું કે “ એ નિપુણ્યક દરિદ્રીની સ્થિતિ જોઇને સજ્જન પુરુષોને મેટી દયા આવે તેવું હતું, અભિમાની પુરુષને તે મકરી કરવાનું સ્થાન થઇ પડ્યો હતેા, બાળકાને રમત કરવાનું રમકડું થઇ પડ્યો હતા અને પાપ કરનારાઓને એક દાખલા પૂરો પાડે તેવા થઇ ગયા હતા ”~ એ સર્વ હકીકતની ચેાજના આ જીવના સંબંધમાં પણ બરાબર કરવી તે આ પ્રમાણે:-આ પ્રાણી નિરંતર અશાતા વેદનીયરૂપ કર્મના કાદવમાં દબાયલા રહે છે તેને જ્યારે અત્યંત પ્રશમ સુખમાં આસક્ત થયેલા અને નિરંતર વિશિષ્ટ આત્મસુખના અનુભવ કરનારા મહાત્મા સાધુએ જુએ છે ત્યારે તેઓનાં ચિત્તમાં સર્વદા કરૂણાભાવ જાગ્રત રહેતો હાવાથી સ્વાભાવિક રીતે આ પ્રાણી ઉપર તેને ઘણી દયા આવે છે. કેટલાક સરાગસંયમી સાધુઓ-યતિએ વીર રસના જોરથી તપસ્યા કરે છે, તેને ધર્મ ઉપર રાગ હોય છે, પણ તેને તે રાગ એક પ્રકારની ઘેલછા જેવા હાય છે અને તપસ્યા વિગેરે જે તે આદરતા હાય છે તેને માટે તેનાં મનમાં બહુ અભિમાન હેાય છે. આવા સરાગસંયમી યતિઓને આ પ્રાણી મશ્કરી કરવાનું સ્થાન પૂરૂં પાડે છે. તે પાતાનાં મનમાં આ જીવ સંબંધી ભિખારીની વિવિધ પાત્રતા. ૧ જુએ અગાઉ પૃષ્ઠ ૫૭ થી ૫૯. ૨ અરધટ્ટધટ્ટી એટલે રેંટ એ કુવાએ ઉપર યેાજવામાં આવે છે. અને તેમાં ધડાએ એવી રીતે ગાઠવ્યા હેાય છે કે ઉપર આવતાં ઘડા ઠલવાય છે ત્યારે નીચેના ભરાતા જાય છે; મતલબ કોઇ વખત તદ્દન સર્વ ઘડા ખાલી થતા નથી અને પ્રાણીની મુક્તિ થતી નથી. દેહધારણ અને કર્મગ્રહણ એ ઘડાના જળ સાથે બરાબર સરખાવવા યાગ્ય છે. ૩ ત્યાગ ઉપર રાગવાળા, ત્યાગની ખાતર ત્યાગ કરનાર નહિ, પણ મેાહથી ત્યાગ કરનારાને સરાગસંયમી કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy