SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] કર્તની આદર્શનમ્રતા. વિચાર કરે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંથી ધર્મ નામના મુખ્ય પુરુષાર્થેના સાધન વગરના આ પ્રાણીમાં માણસાઇજ કેમ સંભવે? એવો ખ્યાલ કરી તેના તરફ અનાદરની નજરથી તેઓ જુએ છે-આવા પ્રાણીઓનું આ જીવ હાસ્યસ્થાન થઈ પડે છે. વળી કેટલાક પ્રાણીઓ જેઓનાં મનમાં મિથ્યાત્વ પેસી ગયું છે અને જેઓને કઈ પ્રકારે થોડું થોડું વિષયસુખ મળી ગયું છે તેઓને આ જીવ ક્રીડા કરવાનું રમત કરવાનું-સ્થાન થઈ પડે છે. આપણે દુનિયામાં જોઈએ છીએ કે પૈસાના મદમાં અંધ થઈ ગયેલાએ બીજા સામાન્ય માણસ તરફ અનેક પ્રકારની પીડાઓ-હેરાનગતીઓ કરે છે અને તેઓ તરફ તિરસ્કારની નજરથી જોઈ તેઓ જાણે તદ્દન મૂખ-અક્કલ વગરના કે ઠેકાણું વગરના હોય તેમ તેઓને બનાવે છે. દુનિયામાં પાપી પ્રાણીઓ કેવી રીતે પાપ એકઠું કરે છે અને તેનાં કેવાં ફળ થાય છે તે હકીકત બતાવવાની હોય છે ત્યારે તે બાબતનો દાખલે આ પ્રાણી પૂરું પાડે છે તે આ પ્રમાણે પાપ કાર્યોની હકીકત જ્યારે ભગવાન બતાવે છે ત્યારે ભવ્ય પ્રાણીઓને સંસાર પર વૈરાગ્ય થાય તેટલા માટે આ પ્રાણુઓના જેવા જીવનું દષ્ટાન્ત આપે છે. આવી રીતે આ જીવ કૃપા, હાસ્ય અને ક્રીડાનું સ્થાન થાય છે અને પાપીઓનું દૃષ્ટાનું પૂરું પાડે છે. વળી તે દરિદ્રીના વર્ણનમાં આગળ કહેવામાં આવ્યું છે કે “આ અષ્ટમૂલપર્યન્ત નગરમાં બીજા પણ ઘણું દરિદ્રીઓ દરિદ્રીની વસતા હતા, પણ એ નિપુણ્યક દરિદ્રી એટલે સરખામણ. દુઃખી હતો કે તેના જેવો નિભૉગી બહુધા તે આખા શહેરમાં બીજો કઈ નહિ હોય એમ લાગતું હતું.” તે મારા પિતાના જીવનું અત્યંત વિપરીત વર્તન જોઇને અને અનુભવીને મેં કહ્યું છે, કારણ કે જન્મથી અંધપણને પણ હલકા પાડી નાખે તેવો તેને મહામોહ છે, નારકીના તાપને પણ હસી કાઢે તેવો તેને રાગ છે, જેને કેઈ સાથે સરખાવી ન શકાય તેવો એને અન્ય ઉપર દ્વેષ છે, વૈશ્વાનરને પણ હસી કાઢે એવો તેને કોધ છે, મેરૂ પર્વતને પણ નાનો બતાવે તેવું તેને માન છે, નાગણ (સર્ષણ)ની ગતિને પણ ૧ તેને મહામોહ એટલો આકરો થાય છે કે કોઈ પ્રાણી જાત્યંધ-જન્મથી અંધ હોય તેનું વિકળ ચક્ષુ પણું પણ તેની પાસે કાંઇ હિસાબમાં નહિ. જન્માંધપણુથી પણ આકરે તેને મહામોહ છે. એવી રીતે બાકીના ભાવો માટે પણ સમજી લેવું. ૨ મેટે અગ્નિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy