SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સીમંધ ] કથાનું ટુંક રહસ્ય. રાજમાર્ગમાં લોકોની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પેાતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારૂં અગાઉનું દરિદ્રીપણું સંભારીને જે લોકો આ ઔષધા તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથીજ કોઇ કોઇ તેના અથી હશે તે ત્યાં કાઇને નહિ દેખવાથી પેાતાની મેળેજ પાત્રમાંથી ઔષધા ગ્રહણ કરશે. તેમાંથી કાઇક ખરો ગુણવાન પ્રાણી પણ તારૂં ઔષધ લેનારો નીકળી આવે તે તું તરી ગયા ( તારા મનારથ પૂર્ણ થઇ જશે ) એમ હું માનું છું, કારણ કે કોઇ જ્ઞાનમય પાત્ર આવશે, કાઇ તપમય પાત્ર આવશે એમાં જે જ્ઞાનપાત્ર આવશે તે તને તારશે.” સદ્ગુદ્ધિના આવા કુશળ જવાબથી સપુણ્યકના આનંદમાં સારી રીતે વધારો થયા અને સત્બુદ્ધિએ તેને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તેણે કર્યું. તેટલા માટે આ હકીકત કહેવામાં આવી છે કે એ દરિદ્રીએ ખતાવેલાં ઔષધને જે પ્રાણીઓ ગ્રહણ કરશે તે સર્વ રેગ વગરના થઇ જશે, કારણ કે નીરોગી થવાનાં કારણભૂત તે ત્રણે ઔષધાજ છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમામને માટે (જે આવે તે સર્વને માટે) કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય તેમ છે, માટે તે વિષયમાં મારી ઉપર દયા ( કૃપા )વાળા સર્વેએ તે (ત્રણે વસ્તુ ) લેવાની કૃપા કરવી, સર્વ તે લેવાને ચોગ્ય છે. આ પ્રમાણે દૃષ્ટાન્ત આપની પાસે ટુંકામાં કહી સંભળાવ્યું, હવે તેના ઉપનય ( ગર્ભિત આશય-રહસ્ય-સાર) કહેવામાં આવે છે તે સાંભળે. ૪૭ ૧ જ્ઞાન અને તપ (જ્ઞાન અને ક્રિયા ). જ્ઞાનના ઇચ્છક પાત્ર હશે તે તારે યેાગ્ય છે એ અત્ર બતાવવાના આશય છે. ખુલાસા આગળ થશે. ૨ અહીં સુધી ઉપેાદ્ઘાતરૂપે સિર્ષિં ગણિએ પેાતાની વાર્તા કહી. એ વાતત્વના દરેક શબ્દ અર્થભિત છે તે ઉપનયની યાજનાથી જણારો. આ ઉપેાદ્ધાત તેવી રીતે અર્થવિચારણાથી પૂર્ણ કરી આ પ્રાથમિક વિષય અંધ કરવામાં આવશે અને તેવી રીતે શ્રોતાઓને તૈયાર કરી પછી વિષયની શરૂઆત કરવામાં આવશે. આ પદ્ધતિ ચાલુ ઉપેાધાતની પદ્ધતિને કેટલી મળતી છે તે માટે ઉપાદ્ધાત જીએ. ભા. ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy