SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ યાચના કરનારની રાહ જોતા ચક્ષુ ફેરવતા બેસી રહેતા હતા. આવી રીતે ઘણા વખત રાહ જોઇને બેસી રહેવા છતાં જ્યારે ઔષધના ખપી કાઇ તેની પાસે આવ્યા નહિ ત્યારે વળી તેણે એક દિવસ સદ્બુદ્ધિને આ પ્રમાણે થવાનું કારણ પૂછ્યું. સત્બુદ્ધિએ કહ્યું, “ ભાઇ ! તારે બહાર આવીને ઘોષણાપૂર્વક આ ત્રણે ઔષધો ાકારી પાકારીને જે કોઇ લે તેને આપવાં અને એમ કરતાં જો કોઇ લેનાર મળી આવશે તેા બહુ સારૂં થશે.” સદ્ગુદ્ધિની આવી સલાહથી “ભાઇએ ! મારી પાસેથી આ ઔષધા ગ્રહણ કરો, ગ્રહણ કરો” એ પ્રમાણે ઊંચા સ્વરથી ખેલતા તે ઘરે ઘરે ફરવા લાગ્યા. તેની આવી આઘાષા સાંભળીને જે અત્યંત હલકા પ્રાણીઓ હતા તે કોઇ કોઇ વખત જરા જરા ઔષધ તેની પાસેથી લેતા હતા અને બીજા તેવાજ હલકા પ્રાણીઓ મનમાં વિચાર કરતા હતા કે ‘અહા ! અગાઉ આ ભિખારીને આપણે જોયા હતા તે અત્યારે ગાંડો થઇ ગયા હોય એમ જણાય છે. જીએ તે ખરા! રાજસેવક પાસેથી ઔષધ મેળવીને હવે તે આ પણને આપવા નીકળી પડ્યો છે!' આવા વિચાર તેના સંબંધમાં કરીને તે માણસે તેની મશ્કરી કરતા હતા, કેટલાક તેને ઉડાવતા હતા અને કેટલાક તેના તરફ બેદરકારી બતાવી તેના તરફે તદ્દન નિરાદર મતા વતા હતા. આવી રીતે સપુણ્યકને અન્ય પ્રાણીઓને દાન આપવાની થયેલી રૂચિ તેમજ તેના ઉત્સાહને ભાંગી નાખે એવી તુચ્છ લોકાની વર્તણુક જોઇને તે સત્બુદ્ધિને કહેવા લાગ્યા, “ ભદ્રે ! મારૂં ઔષધ તા જે ભિખારીઆ હાય છે તેજ માત્ર ગ્રહણ કરે છે, કોઇ મોટા માણુસા તે મારી પાસેથી લેતા નથી અને મારી ઇચ્છા તા એવી છે કે સર્વે લોકો મારાં ઔષધના ઉપયોગ કરે. વિશુદ્ધ દર્શન કરનાર મહાશયા ! ભૂત ભવિષ્યની વિચારણા કરવામાં તું ઘણી પ્રવીણ છે, તેા મહાત્મા પુરુષા મારી પાસેથી ઔષધા ગ્રહણ કરતા નથી તેનું કોઇ કારણ હાવું જોઇએ તે તું શોધી આપ.” સમુદ્ધિએ કરેલ સમાધાન. આવા સપુણ્યક તરફના પ્રશ્ન સાંભળીને સપુણ્યકે મને મોટા કામમાં જોડી એવા વિચાર કરતી વિચક્ષણુ સદ્ભુદ્ધિએ મહા ધ્યાનમાં પ્રવેશ કર્યો અને એ પ્રમાણે કામ અનવામાં અંતરંગ કારણ શું છે તેના પેાતાના મનમાં નિર્ણય કરીને તે બાલી, “સર્વ પ્રાણીઓ તારાં ઔષધોને ગ્રહણ કરે તેવા એકજ ઉપાય છે અને તે એ છે કે જે દાનના માર્ગ અને લેવાની પ્રાર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy