SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પીઠબંધ] અભિમાન અને નિરાદર. ઓધાન નિર્ણય કથાની ઉત્પત્તિનો પ્રસંગ એક દિવસ અત્યંત આનંદમાં આવી જઈને સદ્બુદ્ધિને તેણે પૂછયું, “ભદ્ર! આ સુંદર ત્રણે ઔષધો મને કયા અર્થસૂચક કર્મના વેગથી મળ્યા?” બુદ્ધિએ જવાબ આપ્યો, સવાલ. “ભાઈ ! અગાઉ જે આપ્યું હોય છે તેજ પાછું મળે છે એમ કેમાં કહેવાય છે, તેથી એમ જણાય છે કે અગાઉ તે કઈ વખત અન્યને એ વસ્તુઓ આપી હશે.” સદબુદ્ધિને આ જવાબ સાંભળીને સપુષ્પક વિચાર કરવા લાગ્યો અને કેઈને દીધેલું હોય તે જ પાછું મળતું ઔષધદાન હોય તે અનેક પ્રકારે કલ્યાણ કરનાર આ ત્રણે ઔકરવા નિર્ણય. બધે હું યોગ્ય પાત્રોને સારી રીતે આપું કે જેથી ભવિષ્યમાં–અન્ય જન્મમાં તે ન ખૂટે તેટલાં મને મળ્યા કરે. તેના મનમાં આવા પ્રકારને નિશ્ચય થયો તે સુસ્થિત મહારાજે સાતમે માળે બેઠા બેઠા જે, ધર્મબંધકરને તે બહુ પસંદ આવ્યો, તયાએ તેને વધાવી લીધે, સર્વ લેકેએ તેની પ્રશંસા કરી અને સબુદ્ધિને તે તે બહુજ ગમી ગયો. આ હકીકત તેના જાણુવામાં આવવાથી તેને પિતાને (સપુણ્યકને) પણ એમ લાગવા માંડ્યું કે “હું પુણ્યવાન હોવાથી તેમાં બહુ ઉત્તમ સ્થાન ભેગવું છું. હવે કે મારી પાસે આવીને આ ત્રણે ઔષધો માગશે તો તેને હું જરૂર આપીશ” એવા વિચારથી આપી દેવાની ઈચ્છાપૂર્વક તે દરરોજ લેવા આવનારની રાહ જોઈને બેસી રહેતો હતો. પ્રાણી પોતે અત્યંત નિર્ગુણ હોય, પણ મહાત્મા પુરુષે જે તેની મોટાઇ વધારે તો તે આ અધમ દરિદ્રીની પેઠે અભિમાની થઈ જાય છે, હકીકત એમ હતી કે મંદિરમાં જે લેકે રહેતા હતા તે દરરોજ ત્રણે ઔષધોને સારી રીતે ઉપગ કરનારા હતા લોકેનો અને તેના જેરથી કઈ પણ પ્રકારની ચિંતા પીડા નિરાદર. વગરના હેઈને પરમ ઐશ્વર્યવાળા થઈ ગયેલા હતા. જેઓએ તુરતમાંજ એ રાજમંદિરમાં પ્રવેશ કર્યો હતું અને જેઓ કમકની જેવાં (પોતાનું ત્રણ ઔષધરૂપ ધન જેઓ પાસે કાંઈ ન હોય તેવા નિર્ધનીઆ) હતા તેઓ બીજા પાસેથી ત્રણે ઔષધો સારી રીતે મેળવી શકતા હતા. આ પ્રમાણે હોવાથી મંદિરમાં ઘણું કાળથી આવી રહેલા અથવા નવા આવનારામાંથી કઈ પણ ઔષધે લેવા માટે તેની પાસે આવતા નહિ અને તે સંપુણ્યક ચતરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy