SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ કરતી હતી, જે બુદ્ધિથી દરરોજ અધિષિત હતો અને છેડે થે અપથ્ય ભોજનને જે ત્યાગ કર્યા કરતો હતો તે ત્રણ ઔષધના સેવનથી અત્યારે અનેક વ્યાધિઓથી રહિત જેવો થઈ ગયો છે અને તેથી હવે તે નિપુણ્યક નથી, પણ પુણ્યક છે.” ત્યારપછીથી લોકે તેને નિપુણ્યકને બદલે સપુણ્યકના નામથી ઓળખવા લાગ્યા. પુણ્ય વગરના પ્રાણુઓને આવી અનુકૂળતાઓ અને સગવડે ક્યાંથી મળી શકે? જે જન્મથી દરિદ્રી અને ઓછા નશીબવાળે હેય છે તે ચકવતીપણાને યોગ્ય જ નથી. ત્યારપછી તે સપુણ્યક સબુદ્ધિ અને તયાની સાથે રાજમ દિરમાં રહેવા લાગ્યો. ત્યારથી તેની જે સ્થિતિ બની રાજમંદિરમાં તે હવે કહીએ છીએ. તે શરીરને નુકશાન કરે તેવું સપુણ્યકસ્થિતિઅપથ્ય ભૂજન કરતો નહિ હોવાથી તેના શરીરે પ્રગટપણે મટી પીડા ઘણું ખરું તો થતી જ નહોતી અને કદાચ પૂર્વના દેષથી સહજ પીડા થઈ આવતી તે તે બહ ડી અને થોડા વખત સુધી રહે તેવી થતી હતી. એને હવે કઈ પ્રકારની ઈચ્છાઓ રહેલી ન હોવાથી તે લોકવ્યાપારનો વિચાર પણ કરતે નહિ અને અત્યંત આનંદમાં આવીને પૂણે હોંશથી વિમળાલેક અંજન પિતાની આંખમાં વારંવાર આંજતો હતું, જરા પણ થાક્યા વગર તવપ્રીતિકર પાણું દરરેજ પીતા હતા અને પેલું સુંદર મહાકલ્યામુક ભેજન દરરેજ સારી રીતે ખાતો હતો. આ અંજન, જળ અને ભજનના ઉપયોગથી દરેક મિનિટે તેના બળમાં વધારે થવા લાગે, સુખમાં વધારે થવા લાગ્ય, શાંતિમાં વૃદ્ધિ થવા લાગી, તેમજ રૂપમાં, શક્તિમાં, પ્રસન્નપણામાં તેમજ બુદ્ધિની અને ઇંદ્રિયોની પટુતામાં ઘણો વધારો થવા લાગ્યું. તેના શરીરમાં રેગ બહુ હોવાને લીધે હજા સુધી તેને તદન આરામ યે નહોતે, છતાં તેના શરીર પર ઘણે મોટો ફેરફાર થયેલું દેખાતું હતું. અત્યાર સુધી જે ભૂત પ્રેત જે અત્યંત ભયંકર અને કદરૂપ લાગતો હતો અને તેને તેના સામું જેવું પણ ગમતું નહોતું તે હવે મનુષ્યને સુંદર આકાર ધારણ કરનાર થઇ ગયો હતો. અગાઉ દરિદ્રીપણામાં તુચ્છતા, અધેર્ય, લોલુપતા, શેક, મોહ, ભ્રમ વિગેરે હલકા ભાવે તેનામાં બહુ હતા તે ત્રણ ઔષધના આસેવનથી લગભગ નાશ પામવા જેવા થઈ ગયા અને તે તેને જરા પણ પીડા કરતા ન હોવાથી તે નિરંતર આનંદી મનવાળે થઈ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy