SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] વિચારણું અને પ્રકાર. ૪૩ એમ સદબુદ્ધિએ મને કહ્યું છે અને જે તેને એકદમ ત્યાગ નથી કરતો તે દુઃખના દરિયામાં હું હમેશાં પડ્યાંજ રહું છું; ત્યારે મારે શું કરવું? હું તદ્દન શક્તિ વગરને નિર્ભાગી છું. અથવા તો મોહને લીધે આવા સંકલ્પ મને થયા કરે છે; પણ તેમ કરવાની જરૂર શું છે? હું તે આ ભજનનો સર્વથા ત્યાગ કરી દઉં, પછી જે થવાનું હશે તે થશે! અને વાસ્તવિક રીતે એમાં બીજું થવાનું પણ શું છે? ત્યાગ કર્યા પછી તુચ્છ ભજનનું મને નામ પણ યાદ આવશે નહિ. રાજ્ય પ્રાપ્ત થયા પછી પોતાનું અગાઉનું ચંડાળપણું તે કેણ યાદ કરે?” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેણે સદ્દબુદ્ધિને કહ્યું, “આ મારું ભજન ભરવાનું વાસણ લે અને તેમાંથી ખરાબ ભજન ફેંકી દઈને તેને જોઈને સાફ કરી આપ.” બુદ્ધિએ તેને જવાબમાં કહ્યું, “આ બાબતમાં તારે ધર્મબોધકરને પૂછવું વધારે સારું છે. સારી રીતે વિચાર કરીને કરેલાં કામમાં પાછળથી ફેરફાર કરવો પડતો નથી.” નિપુણ્યક-સપુણ્યક, પછી તે પ્રમક પિતાની સાથે રાબુદ્ધિને લઈને ધર્મબેધકરની પાસે ગયો અને ત્યાં જઈને તેની પાસે પિતાની સર્વ દઢ નિશ્ચય હકીકત કહી સંભળાવી. ધર્મબોધકરે કહ્યું, “તે ત્યાગ-આનંદ, બહુ સારે વિચાર કર્યો છે અને વાત બહુ સારી છે. માત્ર જે કરવું તે ચોક્કસ નિશ્ચય કરીને કરવું કે જેથી ભવિષ્યમાં કઈ પણ દિવસ લેકમાં હસીને પાત્ર થવાનો વખત આવે નહિ.” દરિદ્રીએ જવાબ આપે, “ નાથ ! વારંવાર તેને તેજ વાત મને શા માટે કહ્યા કરે છે? મારે હવે એ બાબતમાં એટલે નિશ્ચય થઈ ગયો છે કે કુભોજન ખાવા તરફ મારું મન જરા પણ જતું નથી. તેને આ જવાબ સાંભળીને વિચક્ષણ ધર્મબોધકરે બીજા ડાહ્યા માણસો સાથે વિચાર કરી તે કમકની પાસે ઠીકરાનું વાસણ હતું તે તાવી દીધું, તેને ચોખા પાણુ વડે સારી રીતે સાફ કર્યું અને તેમાં મહાકલ્યાણક ભેજન સારી રીતે ભર્યું. પેલા દ્રમકને તેમાં પ્રમોદ થવાથી તે દિવસથી જ તેમાં વધારો થવા માંડ્યો. આ પ્રમાણે થવાથી ધર્મબોધકર બહુ રાજી થયા, તયા હરખધેલી થઈ ગઈ, સદબુદ્ધિના આનંદમાં ઘણું વધારે થયો અને આખું રાજમંદિર ખુશી ખુશી થઈ ગયું. તે વખતે લેકે આ પ્રમાણે બોલવા લાગ્યા.-“આ નિપુણ્યક જેના ઉપર સુસ્થિત મહારાજાની કૃપાદ્રષ્ટિ થઈ હતી, જે ધર્મબોધકરને પ્રિય હતો, જેનું તયા લાલનપાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy