SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ સર્વથા ત્યાગ કરી દઉં કે જેથી મને ઊંચા પ્રકારનું સુખ સારી રીતે પ્રાપ્ત થાય.” સદ્દબુદ્ધિએ જવાબમાં કહ્યું, “વાત તે તદન યોગ્ય છે, પરંતુ તેને ત્યાગ બરાબર વિચાર કરીને કરજે, કારણ કે સર્વથા ત્યાગને તજ્યા પછી તેના ઉપરના પૂર્વ પ્રેમને લઈને અગાઅંગે સાવચેતી. ઉના જેવી આકુળ વ્યાકુળતા તને થવી ન જોઈએ. એક વાર એનો ત્યાગ કર્યા પછી વળી ફરીવાર તેના ઉપર સ્નેહ થઈ આવે તેના કરતાં તો ત્યાગ ન કરવો એજ વધારે ઠીક ગણાય, કારણ કે એ તુચ્છ ભેજન ઉપર સેહ રાખવાથી વ્યાધિઓ બહુ વધી જાય છે. ખરાબ ભેજન થોડું થોડું કરવાથી અને ત્રણે ઔષધને વધારે વધારે ઉપયોગ કરવાથી તારા વ્યાધિઓ નરમ પડ્યા છે અને તને શાંતિ થયેલી છે તેટલું થવું પણ અત્યંત દુર્લભ છે. એક વાર સર્વથા ત્યાગ કર્યા પછી તેવા તુચ્છ ભજનની ઈચ્છા કરનારા તે મહામહના પ્રતાપથી વ્યાધિઓની લાઘવતા' પણ જલદી મેળવી શકતા નથી. આ બાબતને સારી રીતે વિચાર કરીને મનમાં જે ખરેખર ત્યાગ કરવા ગ્ય ભાસે તેજ ઉત્તમ મનુષ્યોએ તેને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે.” સદબુદ્ધિને આવો જવાબ સાંભળીને તેનું મન જરા ગભરાટમાં પડી ગયું તેથી શું કરવું? તેને બરાબર નિશ્ચય તે સર્વથા ત્યાગ કરી શક્યો નહિ. ત્યારપછી એક દિવસ એમ બન્યું ને નિશ્ચય. કે મહાકલ્યાણક ભેજન ખૂબ સારી રીતે ખાધા પછી લીલામાત્રથી તેણે ખરાબ ભેજન જરા લીધું. તે વખતે સુંદર ભેજન ખાવાથી તે ધરાઈ ગયેલ હોવાને લીધે અને સબુદ્ધિ તેની પાસે હોવાને લીધે સુંદર ભજનના ગુણે તેના મન ઉપર બહુ અસર કરવા લાગ્યા, તેથી તે વિચાર કરવા લાગ્ય-આ મારૂં પિતાનું તુછ ભજન છે તે અત્યંત ખરાબ થઈ ગયેલું, શરમ ઉપજાવે તેવું, મેલથી ભરેલું, કંટાળે ઉપજાવે તેવું, ખરાબ રસવાળું, નિંદવા ગ્ય અને સર્વ દેષોનું સ્થાન છે. આવું હું જાણું છું છતાં તેના ઉપરને મેહ હજુ નાશ કેમ પામતો નથી? મને એમ લાગે છે કે એને સર્વથા ત્યાગ કર્યા વગર મને સંપૂર્ણ સુખ કદિ મળશે નહિ. હું એને ત્યાગ કરી દઉં અને અત્યાર સુધીના તેના પરના રાગથી કદાચ પાછો હું તેને ત્યારપછી યાદ પણ કરૂં તે તે પણ દુઃખનું કારણ છે ૧ ઓછાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy