SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] આંતર વિચારણા. ૪૧ અત્યાર સુધી બહુ આગ્રહ કરવામાં આવે ત્યારે ત્રણે ઔષધોનો ઉપયોગ તે કરતો હતો તેને બદલે હવે તે પોતાની મેળે રાજીખુશીથી ત્રણે ઔષધે વાપરવા લાગ્યો અને તે લેવામાં તેને હોશ પણ વધારે વધારે થવા લાગી. પોતાની જાતને નુકશાન કરે તેવા અપથ્ય ભોજન ઉપર તેની પ્રીતિ ઓછી થવાને લીધે અને પોતાની જાતને લાભ કરે તેવી ત્રણે વસ્તુઓ ઉપર તેની પ્રીતિ વધવાને લીધે તેને જે લાભ થયો તે હવે કહેવામાં આવે છે. અગાઉ જે વ્યાધિઓનાં નામ ગ|વ્યાં હતાં તે હવે તેના શરીરને પીડા કરતા નહોતા અને કાંઈ કાંઈ નરમ પણ પડવા લાગ્યા હતા. તેને કદાચ કોઈ વખત સહજ પીડા થઈ આવતી તે તે પણ થોડા વખતમાં ઓછી થઈ જતી અને આખરે મટી જતી હતી. એ દરિદ્રીને હવે ખરા સુખને રસ કેવો છે તેનો સ્વાદ આવવા લાગે, તેનું ભયંકર રૂપ હતું તે દૂર થતું ગયું અને તેનામાં શાંતિ આવી ગયેલી હોવાથી તેના મુખ ઉપર સંતોષ પણ બહુ દેખાવા લાગ્યું. એક દિવસ એકાન્તમાં રહેલે તે પિતાના મનમાં અત્યંત રાજી થઈને નિરાકુળપણે સદ્બુદ્ધિ સાથે વાત કરવા લાગ્યો, સદબુદ્ધિ સા. “ભદ્ર! મારા શરીરમાં આ શું બધું નવાઈ જેવું થે વાતચીત. લાગે છે! તું જો તો ખરી, અત્યાર સુધી જે શરીર સર્વ દુઃખથી ભરપૂર હતું તેજ શરીર હવે સુખથી ભરપૂર થઈ ગયું જણાય છે.” સદબુદ્ધિએ જવાબ આપ્યો, “ભાઈ! સારી રીતે પથ્ય સેવવાથી અને તારા શરીરને નુકશાન કરનાર વસ્તુ ઉપરના રાગને દૂર કરવાથી એ સવે લાભ થાય છે. લાંબા વખતની ટેવથી ખરાબ ભજન કદાચ કઈ વાર તું કરે છે ખરે, પણ તે વખતે હું નજીકમાં હોવાથી તેને તેમ કરતાં બહુ શરમ આવે છે. એ ખરાબ ભેજનનો ઉપયોગ જ્યારે શરમ સાથે કરવામાં આવે છે ત્યારે તેની અસર નહિ જેવી થઈ જાય છે, ઉપરાંત તેના ઉપર તિરસ્કાર હોવાથી–ગૃદ્ધિ નહિ હોવાથી વારંવાર તે ખાવાની ઈચછા પણ થયા કરતી નથી. આવા પ્રકારની વૃત્તિ થઈ ગયા પછી તેવું ખરાબ ભજન કદાચ થોડું ખાઈ લીધું હોય છે તેથી શરીરે વ્યાધિઓને વધારનાર તે થઈ જતું નથી. તારા, મનમાં આનંદ અને સુખ થાય છે તે આ કારણુથી થયેલ છે.” નિપુણ્યકે કહ્યું, “જે એમજ હોય તે તે ખરાબ ભોજનને હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy