SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે હિત કરનાર શું અને અપથ્ય શું છે તેનો વિચાર બતાવશે. આવી સારી દાસી હું તને આપું છું તેથી હવે તારે તારા મનમાં જરા પણ ગભરાવું નહિ, પરંતુ તે ઘણું જાણકાર હોવાથી તેનાથી ઉલટી રીતે ચાલનાર અને આદર વગરના પ્રાણી ઉપર જરા પણ ઉપકાર કરતી નથી, તેથી જે તને સુખ મેળવવાની ઈચ્છા હોય અને દુઃખથી તને ભય ઉત્પન્ન થયેલ હોય તે તે જે કહે તે પ્રમાણે તે દરરોજ કરજે, એ પ્રમાણે હું તને ખાસ હુકમ કરું છું, ભલામણ કરું છું અને તેને ભાર દઈને કહું છું કે તારે તેના કહેવા પ્રમાણે જ કરવું. તેને જે ૫સંદ ન આવે તે મને પણ પસંદ નથીજ એમ તારે સમજી લેવું. તયાને અનેક જગાએ કામ હોય છે તોપણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તે પણ તારી પાસે આવી જઈને તને જાગ્રત રાખ્યા કરશે. માત્ર તારું હિત કરવાની બુદ્ધિથી અમે તને ટુંકામાં સારભૂત વાત કહીએ છીએ કે જે તારે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે સદ્દબુદ્ધિને રાજી રાખવા માટે તારાથી બની શકે તેટલે પ્રયન તું કર્યા કરજે. જે મૂર્ખ પ્રાણીઓ સારી રીતે આરાધના-સેવા કરીને સદ્દબુદ્ધિને પ્રસન્ન કરતા નથી તેના ઉપર આપણું મહારાજા, હું પિતે કે આ મંદિરમાં રહેનાર બીજું કઈ પ્રસન્ન થતું નથી. જેના ઉપર તે સબુદ્ધિની અવકૃપા થાય છે તે પ્રાણીઓ દુ:ખ ભોગવવાને લાયક ગણાય છે. એના પ્રસાદ સિવાય લેકમાં સુખ આપનાર બીજું કોઈ પણ કારણ નથી. મારી જેવા તે તારાથી છેટા રહેનારા હેય છે, પણ આ બુદ્ધિ તો દરરેજ આ વખત તારી પાસે જ રહેશે, માટે તારા પોતાના સુખ માટે તારે તેની આરાધના કરવી સર્વ રીતે ઉચિત છે.” નિપુણ્યકે આ બાબતમાં સંમતિ આપવાથી ધર્મબંધકરે સદ્દબુદ્ધિને તેની પરિચારિકા બનાવી અને ત્યારથી ધર્મબોધકર નિપુણ્યકના સંબંધમાં નિશ્ચિત થયા. હવે થોડા દિવસ સદબુદ્ધિ પેલા દ્રમકની પાસે રહી તેટલા વખતમાં તેના સંબંધમાં જે બન્યું તે ખાસ જાણવા લાયક સબુદ્ધિનું હોવાથી અહીં કહેવામાં આવે છે તે સાંભળો. અત્યાર પરિણામ. સુધી તે દરિદ્રી બહુ રાગપૂર્વક તુછ બેજન ઘણું ખાતો હતો છતાં ધરાતો નહિ તેટલું બધું તુચ્છ ભોજન હવે તે ખાતો નહિ અને તેના સંબંધની ચિંતા પણ જે તેને બા રહેતી હતી તે હવે નાશ પામી હતી. ઘણું કાળથી તેને ટેવ પડી ગઈ હતી તેથી કઇ કઇ વાર હજુ પણ તુચછ ભોજન કરતું હતું, પરંતુ તે તૃપ્તિ પૂરતું જ કરતો હતો, અને તે પણ બહુ કૃદ્ધિઆસતિથી કરતો નહોતે, તેથી તેના મનની શાંતિને નાશ થતો નહતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy