SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા, સંક્ષિપ્ત ઉપનય. અહીં જે અષ્ટમૂલપર્યંત નામનું નગર કહેવામાં આવ્યું તે આ સંસાર જેની શરૂઆત અને છેડો કાંઇ દેખાતા નથી તે છે એમ સમજવું. ત્યાં એક દરિદ્રીનું વર્ણન કરવામાં આવ્યું છે તે મહામેાહથી હાયલા, અનંત દુ:ખથી ભરેલા અને પુણ્ય વગરના પૂર્વ કાળના મારે જીવ સમજવા. ભિક્ષા લેવા માટે તેની પાસે એક વાસણ છે એમ જે અગાઉ બતાવવામાં આવ્યું હતું તે ગુણ અને દોષના આધારરૂપ આયુષ્ય' સમજવું. તે નિપુણ્યકને તાફાની છે.કરાએ ત્રાસ આપતા હતા તે કુંતીએ સમજવા, તેને વેદના થાય છે એમ કહ્યું તે તેના મનની ખરાબ સ્થિતિ સમજવી, રાગ વિગેરે રેગા સમજવા અને અજીર્ણ-અપચા તેને થતા કર્મના સંચયર સમજવા. ભાગાની ત્યાં વાત કરવામાં આવી છે તે સ્રી પુત્ર વિગેરે સમજવા. તે જીવની અત્યંત આસક્તિનું નિમિત્ત હોવાથી સંસાર વધારનાર ગણાય છે અને તેથી તેને કન્ન-તુચ્છ અધમ ભાજન તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યાં મુસ્થિત મહારાજ રાજમંદિરના ઉપરના માળ ઉપર બેઠા છે એમ કહેવામાં આવ્યું તેને પરમાત્મા સર્વજ્ઞ શ્રીજિનેશ્વર ભગવાન્ સમજવા. આનંદને ઉત્પન્ન કરનાર અને અનેક પ્રકારની રાજલક્ષ્મીથી ભરપૂર રાજમંદિરનું ત્યાં વર્ણન કર્યું તે જિનશાસન સમજવું. એ રાજમંદિરમાં સ્વકર્મવિવર નામે દ્વારપાળ છે તે પાતાનેા કર્મોના ઉચ્છેદ-નાશ સમજવા. તે કર્મવિવર સિવાય અન્ય દ્વારપાળા પણ ત્યાં છે એમ કહેવામાં આવ્યું તે મેહ, અજ્ઞાન, લાભ વિગેરે છે એમ તત્ત્વવિચારકોએ સમજી લેવું. ૪૮ તે રાજભુવનમાં રાજાએ તે આચાર્યો સમજવા, મંત્રી ઉષાધ્યાય સમજવા, ચાધાએ તે ગણની ચિંતાનું કાર્ય કરનાર વિદ્વાન ગીતાર્થો સમજવા, મૂલગિક ( ભાયાત ગરાસદાર ) તે સામાન્ય સાધુએ સમજવા, શાંત પ્રકૃતિની વૃદ્ધ સ્થવિરાએ તે આર્યા–સાધ્વીએ સમજવી, સેનાનીઓ તે રાજભુવનનું રક્ષણ કરવા માટે પ્રાણ આપે તેવા શ્રાવકા સમજવા. ત્યાં વિલાસિનીએ બહુ છે એમ કહ્યું તે ભક્તિ કરવાની રૂચિવાળી શ્રાવિકાઓ સમજવી. એ રાજભુવનમાં શબ્દ વિગેરે [ પ્રસ્તાવ ૧ ↑ Span of Life. ૨ સંચય=એકઠું કરવું તે. ૩ આ શબ્દના અર્થ કાઇ કાષમાંથી મળતા નથી, સંબંધ પરથી અર્થે કર્યો છે આનંદસાગર મહારાજે તેના અર્થ કાટવાળ-તળાટી કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy