SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ જે મહા શાંતિ કરનાર છે તેના ઉપર તારી શિથિલતા છે! અને આ સર્વ પ્રકારના સંતાપને કરનારા ભેજન ઉપર તારી રૂચિ છે! ખરેખર તારી સ્થિતિ ઘણી વિચિત્ર છે. તું અત્યારે રડે છે, પણ તને શાંતિ આપે તેવી બાબત કે અત્યારે તે વિદ્યમાન જણાતી નથી. બીજી એમ પણ વાત છે કે જેને અપથ્ય ઉપર બહુ પ્રેમ હોય છે તેને ઔષધ લાગુ પડી શકતાં નથી. હું તારી પરિચારિકા હોવાથી મને પણ આ બાબતમાં અપવાદ આવે છે. હું તને આટલી વાત સમજાવું છું, પણ તેને સારું કરવાની હાલ મારામાં શક્તિ નથી.” ( આ પ્રમાણે તયાની વાત સાંભળીને નિપુણ્યક બે, “તેમજ હોય તે તમારે મને હવેથી તુચ્છ ભોજનને ઉપયોગ કરતાં વારંવાર વાર્યા કરે, કારણ કે એ ભજન કરવાની મને એટલી બધી પ્રેમપૂર્વક ઈચ્છા રહ્યા કરે છે કે મારી પિતાની મેળે તેને ત્યાગ કરવાનો ઉત્સાહ મારામાં આવે એમ મને લાગતું નથી. તમારા પ્રભાવથી એ ખરાબ ભજનને થોડો થોડે ત્યાગ કરતાં સર્વને ત્યાગ કરવાની શક્તિ પણ મારામાં આવશે.” તયાએ હર્ષના આવેશમાં આવી જઈને કહ્યું કે “શાબાસ છે, શાબાસ છે! તારા જેવાને એ પ્રમાણે કરવું તે યોગ્ય જ છે.” આ પ્રમાણે કહીને પછી તેને વધારે ખરાબ ભેજન લેતાં વારંવાર તે વારવા લાગી. આવી રીતે વારંવાર કહેવાથી તે અપથ્ય ભજનને છેડે થોડે ત્યાગ પણ કરવા લાગે, તેમ તેમ તેના વ્યાધિઓ ઓછા પણ થવા લાગ્યા, વિશેષ પીડા થતી હતી તે અટકતી ગઈ અને ઔષધો શરીર પર અસર કરવા લાગ્યાં. જ્યારે તયા નજીકમાં હોય ત્યારે નિપુણ્યક સુંદર ભેજન કરે અને અપથ્ય ભેજન થોડું લે, તેથી વ્યાધિઓ ઓછા થાય, પરંતુ તે જરા દૂર જાય એટલે હજુ તેનામાં અપથ્ય ભેજન ઉપર લેપટપણું ઘણું હોવાથી તે ખાવા મંડી જાય અને ઔષધે જરા પણ લે નહિ, તેથી વળી પાછા અજીર્ણવિકાર થઈ આવે. ધર્મબંધકારે પોતાની દીકરી તયાને આખા લેકના પાલક તરીકે અગાઉથી નીમેલી હતી, તેથી તેને તે અનંત લેકની તયાના અનેક નક સંભાળ રાખવાના કામમાં રોકાઈ રહેવાનું હતું, તેને વ્યવસાયનું લઈને તે આ નિપુણ્યક પાસે તો કઈ કઈ વાર પરિણામ. આવી શકતી એટલે બાકીનો બધો વખત તે તદ્દન છૂટ રહેતું હતું. એવા વખતમાં અપથ્ય ભેજન ખાવાથી તેને કઈ ૧ ઠપકો, લોકમાં અપ્રિયપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy