SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ૩૬ જે પ્રાણીએ અમારા મહારાજાને પોતાની આખી જીંદગી સુધી ખાસ કરીને ભાવથી રાજા તરીકે સ્વીકારે છે અને તે સંબંધમાં પેાતાના મનમાં કોઇ પણ પ્રકારની શંકા રાખતા નથી તેનેજ ગુણ કરે છે, ફાયદો કરે છે, લાભ કરે છે; તેથી તું અમારા મહારાજાને તારા નાથ તરીકે સ્વીકાર, કારણ કે મહાત્મા પુરૂષ ભાવપૂર્વક ભક્તિથીજ પેાતાના થાય છે. અનેક રોગી પ્રાણીઓ અગાઉ આ મહારાજાના નાથ તરીકે ભક્તિપૂર્વક સ્વીકાર કરીને આનંદ પામ્યા, રોગ રહિત થઇ ગયા અને પેાતાનું કામ સાધી ગયા તેના દાખલાએ મેાજુદ છે. તારા રોગે ઘણા આકરા છે, તારૂં મન તુચ્છ ભાજન ઉપર હજુ લાગેલું છે, તેથી મને એમ લાગે છે કે તારા સંબંધમાં અસાધારણ પ્રયત્ન કર્યા સિવાય તારા વ્યાધિએ નાશ પામી જશે નહિ. તેટલા માટે હે ભાઈ ! સાવધાન થઇ ચન્ન કરી તારૂં મન સ્થિર કરી આ વિશાળ રાજભુવનમાં રાજી ખુશીથી રહે અને આ મારી દીકરી તને વારંવાર ત્રણે ઔષધો આપ્યા કરે તે લઇને તારા આત્માનું આરોગ્ય કર. .. ધર્મબાધકર મંત્રીશ્વરે આટલી વિગતથી જે લખાણ વાત કહી તે તેણે ખરાખર સ્વીકારી લીધી અને મંત્રીશ્વરે પેતાની દીકરી તદ્યાને તેની પરિચારિકા બનાવી. નિપુણ્યકે પેાતાના ભિક્ષા માગવાના પાત્રને એક સ્થાનકે હમેશને માટે મૂકી દીધું અને તેની પાલના– જાળવણી કરતાં તેને કેટલાક કાળ એ પ્રમાણેની સ્થિતિમાં ત્યાં નીકળી ગયા. તદ્યા—મંત્રીશ્વરની દીકરી તેને રાત દિવસ ત્રણે ઔષધો આપ્યા કરે છે, પરંતુ આ નિપુણ્યકને પેાતાના કુભાજન ઉપર હજી આસક્તિ ઘણી છે, તેથી તેના ઉપર જોઇએ તેટલેા પ્રેમ થતે નથી. માહથી પાતાની પાસેનું તુચ્છ ભેાજન તે વધારે ખાતા હતા અને તદ્યાએ આપેલ બાજન બહુ થોડું ખાતા હતા, તઢ્યા તેને સંભારી આપે ત્યારે કોઇ વખત જરા અંજન આંખમાં આંજતા હતા અને તીર્થજળ પણ તદ્યા વારંવાર કહે ત્યારે કોઇ વખત જરા પીતા હતા. તદ્યા અને હોંશથી મહાકલ્યાણક ભાજન અહુ સારી રીતે આપતી હતી. ત્યારે તેમાંનું જરા ખાઇને બાકીનું અન્ન તે પાતાના ભિક્ષાપાત્રમાં નાખી દેતા હતા. તેના તુચ્છ ભેાજનની સાથે આ સુંદર ભેાજન મળવાથી તેના અન્નમાં નિરંતર વધારો થયા કરતા હતા અને તેથી તેનું અન્ન દરરોજ રાત દિવસ ખાધા કરે તાપણુ પૂરું થતું નહતું. ૧ તંદુરસ્તી. અત્ર આત્મિક આરેાગ્ય કરવાનું છે તે ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. ૨ સેવા કરનારી, ચાકર દાસી. અલ્પ સ્વીકારને! મેટા લાભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy