SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] પ્રાણુઓના વિભાગો. ૩૫. ત્રણે ઔષધને યોગ્ય હોય તેવા પ્રાણીને જ રાજભુવનમાં દાખલ કરવા અને જેઓ એ ઔષધને યોગ્ય ન હોય તેને દાખલજ કરવા નહિ. તેમ છતાં કોઈ પ્રાણી આ મંદિરમાં દાખલ થઈ ગયેલ હોય, પણ જે ભારે મહેલ જોઈને આનંદ પામે નહિ તેના ઉપર મારી દષ્ટિ માટે ભાગે પડતી નથી, તેથી એવા પ્રાણીઓને કેઈ બીજા દ્વારપાળે ગમે તેમ કરીને અંદર દાખલ કરેલા છે એમ તારે તેઓનાં ચિહ્ન ઉપરથી સમજી લઈને તેઓને સંભાળથી ત્યાગ કરવો. જેઓ મારું મંદિર જેઈને પોતાનાં મનમાં આનંદ પામે છે-હર્ષમાં આવી જાય છે અને જેઓના આત્મા વિકસ્વર થાય છે તેવા રેગીઓનું ભવિષ્યમાં સારું થવાનું હોવાથી તેના ઉપર હું ખાસ કૃપાદૃષ્ટિ કરું છું. સ્વકર્મવિવારે જેને મંદિરમાં પ્રવેશ કરાવ્યું હોય અને જેના ઉપર મારી કપાદષ્ટિ પડતી હોય તે પ્રાણીઓ આ ત્રણે ઔષધને ગ્ય છે એમ તારે સમજવું. આ ત્રણે ઔષધો તે પ્રાણુઓની કસોટી કરનારાં છે. એ ઔષધ પ્રાણીઓને આપવાથી તેને તે પ્રાણી ઉપર કેવો ગુણ થાય છે તે જાણવા ઉપરથી તે આ મંદિરમાં રાખવા યોગ્ય છે કે નહિ તેની ખબર પડી આવે છે. આ ઔષધ ઉપર જે પ્રાણુઓનાં મનમાં પ્રેમ થાય અને તેને ઉપયોગ કરવાથી ગુણ કરનાર થાય અને તેમ થવામાં પ્રયાસ કરવો ન પડે તે પ્રાણીઓને સુસાધ્ય વિભાગના જીવો તારે સમજવા. જેઓ શરૂઆતમાં ઔષધોને ગ્રહણ કરે નહિ, પરંતુ જેઓને પ્રયાસ કરીને ઔષધો વાપરવા માટે સમજાવવામાં આવે અને જેઓ વખતના વહેવા સાથે ધીમે ધીમે ઔષધે વાપરે તે કછૂસાધ્ય વિભાગના પ્રાણીઓ છે એમ તારે સમજવું. જેઓને આ ઔષધ ઉપર જરા પણ પ્રેમ ન થાય, જેઓને ઔષધ આપવાની ગોઠવણુ કરવામાં આવે તે પડી ભાંગે અને જેઓ ઔષધ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે તેઓને અસાધ્ય વિભાગના પ્રાણુઓ સમજવા.” આ પ્રમાણે અમારા મહારાજાધિરાજ સુસ્થિતરાજે મને સપ્રદાયથી કહી રાખ્યું છે તે ઉપરથી તું વચલા કુઅસાધ્ય વર્ગને પ્રાણુ છે એમ તારાં લક્ષણ ઉપરથી જણાય છે. બીજી પણ તને એક વાત કહું તે સાંભળઃ મારી આ ઔષધ કરવાની ક્રિયા જે અનંત શક્તિથી ભરપૂર છે અને જે સર્વ વ્યાધિઓનો નાશ કરે તેવી છે તે ૧ સહેલાઈથી સમજી શકે તેવા પ્રાણીઓ. ૨ અઠ્ઠમુશ્કેલી. પ્રયાસ કરવાથી મહેનતે સમજી શકે તે અસાધ્ય પ્રાણીઓ. ૩ ને સમજી શકે તેવા પ્રાણીઓ. ૪ ઘણા કાળથી ચાલતા આવેલા પ્રવાહથી, ઉત્તરોત્તર ઉતરી આવેલ હકીક્તથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy