SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૧ ભોજન મારી પાસે રહે અને આપનું ભજન મને મળે એવી મેં આ પને વિજ્ઞપ્તિ કરી. આપે તે સ્વીકારી સુંદર ભજન મને આપવા હુકમ કર્યો અને તેને જ્યારે મેં સ્વાદ ચાખ્યો ત્યારે મને વિશેષ પ્રતીતિ થઈ કે આપ મારા ઉપર અત્યંત પ્રેમવાળા છો. તે વખતે વળી મને વિચાર થવા લાગ્યું કે “આપના કહેવાથી મારા ભેજનનો ત્યાગ કરી દઉં? પણ ના, જે હું તેને છોડી દઇશ તે તે ભજન પરની મૂર્છાથી આકુળ વ્યાકુળ થઈને હું જરૂર મરી જઇશ. આ ધર્મબોધકર વાત કરે છે તે તત્ત્વથી ખરેખરી છે, પણ હું તેને ત્યાગ કરી શકું તેમ નથી, અરે! આ તો મારે માથે મોટું ધર્મસંકટ આવી પડ્યું!” આવા આવા અનેક વિચારે મારા મનમાં થયા કરતા હતા, તેથી આપ તે વખતે જે બોલતા હતા તે જેમ ભરેલા ઘડા ઉપરથી પાણું ચાલ્યું જાય તેમ ઉપર ઉપરથી ચાલ્યું જતું હતું. આપ સાહેબે મારું મન જાણી લઈને મારા ભજનો ત્યાગ કરાવવામાં આવશે નહિ એમ ફરમાવ્યું ત્યારે કાંઈક સ્વસ્થતા થવાથી આપના કહેવાનો આશય મારા જાણવામાં સહજ આવ્યો છે. મારું ચિત્ત આવું અસ્થિર છે અને હું પાપી છું, તેથી મારે શું કરવું જોઈએ તે આપ સાહેબ હવે મને જશું કે જેથી આપની કહેલી હકીકત હું મારા મનમાં ધારણ કરું.” નિપુણ્યકની આ સર્વ હકીકત સાંભળીને “દયાના સમુદ્ર ધર્મ બોધકરે પ્રથમ જે વાત ટુંકામાં સમજાવી હતી તે ઔષધના અધિ- પાછી ફરીવાર અતિ વિસ્તારથી સમજાવી. ત્યારકારીનું લક્ષણ. પછી પોતાનાં વિમળાલક અંજન, તત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણક અન્નની અને ખાસ કરીને સુસ્થિત મહારાજ સંબંધી અને તેના અનેક ગુણ સંબંધી હકીકતથી તેને અજાણે જાણીને તેને આ પ્રમાણે કહ્યું, “હે ભાઈ! મને મહારાજા સાહેબે અગાઉ હુકમ કર્યો છે કે તેનાં ત્રણે ઔષધો મારે યોગ્ય માણસોનેજ આપવાં. જો એ ત્રણે ઔષધ કેઈ અગ્યને આપવામાં આવશે તે તે ઉપકાર નહિ કરે એટલું જ નહિ, પણ ઉલટા અનેક પ્રકારના અને ઉત્પન્ન કરશે. અમારા મહારાજને આવો આદેશ સાંભળીને અમુક પ્રાણી પાત્ર છે કે નહિ તેને કેવી રીતે ઓળખ એવી મુશ્કેલીને મેં સવાલ પૂછયો હતો તેના જવાબમાં મહારાજાધિરાજે આ ઔષધને ગ્ય પ્રાણુનાં લક્ષણે બતાવ્યાં તે આ પ્રમાણેઃ “જે રેગી પ્રાણીઓ આ ઔષધ લેવાને હજુ સુધી યોગ્ય થયા નથી તેને સ્વકર્મવિવર દ્વારપાળ આ રાજમંદિરમાં દાખલજ કરતો નથી. મેં સ્વકર્મવિવર દ્વારપાળને હુકમ આપી રાખે છે કે તેણે જે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy