SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] અંતરની ડામાડોળ સ્થિતિ. યોગ્ય છે તે સંબંધી મેં તને અગાઉ અહીં ઉપદેશ આપ્યો હતો તેને માંથી કાંઈ તે તારા હૃદયમાં ધારણ કર્યું છે કે નહિ ?” - દરિદ્રીએ કહ્યું-“આપે કહ્યું તેમાંની કઈ પણ હકીકત એ ધ્યાનમાં રાખી નથી. માત્ર તમે તે વખતે કાનને પસંદ આવે ભિખારીની તેવું બેલતા હતા તે સાંભળીને હું મારા મનમાં કબુલાતો. રાજી થતો હતો. સજ્જન પુરુષોની વાણુને આશય સમજાયું ન હોય તો પણ તે વાણું જાતેજ અતિ સુંદર લેવાથી મનુષ્યનાં ચિત્તને પ્રસન્ન કરે છે. બીજું જ્યારે આપ બેલતા હતા ત્યારે મારી આંખે આપની સન્મુખ રહેતી હતી, પણ મારું મન બીજી જગાએ ભટકતું હતું, તેથી આપ જે બોલતા હતા તે એક કાનમાં પેસીને બીજે કાનેથી બહાર નીકળી જતું હતું. મારા મનની એવી તદ્દન ખરાબ સ્થિતિ થવાનું તે વખતે એક કારણ હતું. તે વખતે મને જે બીક લાગતી હતી તેનો હવે નાશ થઈ જવાથી તે વખતે એવી સ્થિતિ મારા મનની થઈ હતી તેનું જે કારણ હતું તે આપને કહેવામાં મને કોઈ વાંધો નથી. મારા મનની ચંચળ સ્થિતિનું કારણ આપ સાંભળે: આપે મારા ઉપર અત્યંત કરૂણા કરીને મને ભેજન આપવા માટે પ્રથમ બોલાવ્યો ત્યારે મારા મનમાં એમ થવા માંડ્યું કે આ માણસ ભેજન આપવાને ન્હાને મને કઈ જગ પર લઇ જઇને મારું ભેજન લઈ જશે. આવા વિચારને વશ થઈને હું તે વખતે તદ્દન મુંઝાઈ ગયે હતો. આપે ત્યારપછી મારા ઉપર પ્રેમ લાવી મારી આંખમાં અંજન આંજી જ્યારે મને જાગ્રત કર્યો અને મારી મુંઝવણુ કાંઈક દૂર કરી ત્યારે અહીંથી કેવી રીતે જલદી નાસી જઉં એવો વિચાર કરવા લાગ્યો હતો. ત્યારપછી આપ સાહેબે જ્યારે જળ પાઈને મારા શરીરને શાંત કર્યું અને મારી સાથે વાતચીત કરી ત્યારે મને કાંઈક તમારે વિશ્વાસ આ. તે વખતે મેં વિચાર કર્યો કે જે પ્રાણી મારા ઉપર આટલો બધો ઉપકાર કરે છે અને જેની પાસે આટલી મોટી વિભૂતિ (દોલત) છે તે મારી પાસેથી મારા અન્નને ચેરી જનાર કે મૂકાવી દેનાર કેમ હોઈ શકે? ત્યારપછી જ્યારે આપે “આ (મારું ખરાબ ભોજન) છોડી દે અને આ (તારું સારું ભજન) ગ્રહણ કર” એમ કહ્યું ત્યારે વળી પાછું શું કરવું એવા વિચારની શૃંચમાં પડીને હું મુંઝાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે તે પોતે તે મારું ભજન લઈ લેતા નથી, પણ મારી પાસેથી તેને ત્યાગ કરાવે છે; પણ મારાથી તો તેને ત્યાગ થઈ શકે તેમ નથી ત્યારે હવે તેમને ઉત્તર શું આપો? છેવટે મારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy