SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૩ર [ પ્રસ્તાવ ૧ તેના છેવટે સર્વથા નાશ કરવાના ઉપાય સદરહુ ત્રણે ઔષધોના વારંવાર ઉપયોગ કરવા એજ છે, તેથી હું ભાઇ! સર્વ પ્રકારના સંશયને છેડી દઇને આ રાજભુવનમાં નિરાંતે રહે અને દરેક વખતે વારંવાર અંજન, જળ અને અન્નના ઉપયાગ કર. એવી રીતે એ ત્રણે ઔષધના ઉપયોગ વારંવાર કરવાથી તારા સર્વ વ્યાધિઓ મૂળમાંથી નાશ પામી જશે અને તું એ મહારાજાની વિશેષ સેવા કરતાં કરતાં આખરે પાતે પણ નૃપાત્તમ (મહારાજા) થઇ જઇશ. આ તદ્યાને હું ભલામણ કરૂં છું, તે તને દરરોજ ત્રણે ઔષધો આપતી રહેશે. હવે મારે તને વધારે તા શું કહેવું? પણ તને ફરીવાર પુનરાવર્તન કરીને કહું છું કે તારે ત્રણે ઔષધના બરાબર ઉપયોગ નિરંતર કર્યાં કરવા.” ધર્માધકર મંત્રીની ઉપરની વાત સાંભળીને દરિદ્રી ખુશી થઇ ગયા અને મનમાં વિચાર કરીને બોલ્યા, “સ્વામિન્ ! આપે આટલી બધી વાત કહી તેાપણુ હજુ હું મારૂં તુચ્છ ભેાજન તજી શકતા નથી, એ સિવાય મારે જે કરવાનું હોય તે આપ મને ઘણી ખુશીથી ફરમાવે.” દરિદ્રીને આવે વિચાર સાંભળીને ધર્મબેાધકર મંત્રીશ્વરને મનમાં વિચાર થવા લાગ્યો કે આને તેા ત્રણ ઔષધના ઉપયાગ કરવાની વાત કહેવામાં આવી તેના જવાબમાં આ શું મેલવા મંડી ગયા છે? પણ અરે! હવે સમજાય છે કે અત્યારે તેના મનમાં એવાજ વિચાર ચાલે છે કે હું હાલ તેની સાથે જે વાત કરૂં છું તેમાં મારા ઉદ્દેશ ગમે તેમ કરીને તેની પાસેથી તેના ખરામ ભેાજનને ત્યાગ કરાવવાના છે. આ વિચાર તે તુચ્છપણાને લીધે કરે છે. ક્લિષ્ટ ચિત્તવાળા પ્રાણીઓ આખા જગતને દુષ્ટ માને છે અને શુદ્ધ વિચારવાળા પ્રાણીઓ આખા જગતને પવિત્ર માને છે. આવી રીતે પેાતાના પ્રયત્નના ખેાટા અર્થ દરિદ્રીને કરતા જોઇ ધર્મબેાધકર જરા હસ્યા અને તેને કહ્યું, “ ભાઇ ! તું જરા પણ ગભરાઇશ નહિ. હું તારી પાસેથી તારૂં અન્ન હાલ છેડાવવા માગતા નથી, તારે ગભરાયા વગર તારા ભેાજનના ઉપયાગ કરવા. હું તને પહેલાં તે ખરાબ ભાજન તજી દેવાનું વારંવાર કહેતા હતા તે માત્ર તારૂં ભલું કરવાની ઇચ્છાથીજ કહેતા હતા, પણ હવે જ્યારે તને તે વાત પસંદ આવતી નથી તે હાલ હું એ બાબતમાં તદ્ન ચુપ રહીશ, પણ વારૂ, તારે શું કરવા * ૧ મલિન, મેલવાળા. દદ્રીના આગ્રહ. ઉપદેશકની ગંભીરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy