SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ]. શાંતિથી સમજાવટ. ૩૧ કઈ પ્રકારનો મેં ઉપકાર કર્યો નથી છતાં આપ મારા ઉપર આટલી બધી દયા દેખાડે છે તેથી તમારા સિવાય હે પ્રભે! મારે બીજે કેઈ નાથ નથી.” તેને આ પ્રમાણે બેલતો સાંભળીને ધર્મબંધકર મંત્રીશ્વર બોલ્યા, “જે એ પ્રમાણે છે તે હું જે કહું તે થોડી ઔષધ સેવ- વાર અહીં બેસીને બરાબર સાંભળ અને સાંભળીને નને ઉપદેશ. તે પ્રમાણે આચરણ કર.” દરિદ્રી વિશ્વાસ લાવીને ત્યાં બેઠે એટલે તેનું હિત કરવાની ઈચ્છાથી તેના મનને આનંદ પમાડે તેવા સુંદર શબ્દોમાં ધર્મબંધકર બોલ્યા, “તે કહ્યું કે તારે મારા સિવાય બીજો કોઈ નાથ નથી, પણ એવું તારે બલવું યેગ્ય નથી, કેમકે આપણા રાજાના રાજા મહા ઉત્તમ ભૂપાળ શ્રીસુસ્થિત મહારાજ તારા સ્વામી છે. એ મહારાજ સ્થાવર અને જંગમ સર્વ પ્રાણી અને પદાર્થોના નાથ છે, ધણી છે, સરદાર છે; અને તેમાં પણ આ રાજભુવનમાં જે પ્રાણીઓ રહે છે તેના તે તેઓશ્રી ખાસ કરીને નાથ છે. જે ભાગ્યશાળી પ્રાણીઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારે છે તેઓની સાથે આખું ભુવન ચેડા કાળમાં દાસની જેમ વર્તે છે એટલે કે આ ભુવનના સર્વ લેકે તેના દાસ થઈ જાય છે. જે પ્રાણીઓ અત્યંત પાપી હોય છે અને ભવિષ્યમાં પણ જેનો ઉદય થવાનો સંભવ નથી તેઓ બાપડા આ મહારાજાનું નામ પણ જાણતા નથી. જે ભાવિભદ્ર મહાત્માઓ આ રાજભવનમાં દેખાય છે તેને પ્રથમ તો સ્વકમૅવિવર દ્વારપાળ અંદર પ્રવેશ કરાવે છે અને તેઓ કઈ પણ પ્રકારની શંકા વગર આ રાજાને વસ્તુતઃ સ્વીકારે છે. અંદર દાખલ થનારમાં કેઇ મુગ્ધ (મહને વશ પડેલા, સામાન્ય બુદ્ધિવાળા) હોય છે તેઓને અંદર પ્રવેશ કરાવ્યા પછી જ્યારે હું તેને બધી વાત કહું છું ત્યારે વિશેષ હકીકત તેઓ સમજે છે. આ પ્રમાણે હોવાથી તારે સદ્દભાગ્યને યોગે આ વિશાળ રાજમંદિરમાં જ્યારથી તારે પ્રવેશ થયો છે ત્યારથી આ સુસ્થિત મહારાજા તારા સ્વામી થયેલા છે. હવે તારે મારા વચનથી શુદ્ધ આત્માવડે જ્યાં સુધી જીવ ત્યાંસુધી આ રાજાને તારા મહારાજા તરીકે-નાથ તરીકે સ્વીકારી લેવા. જેમ જેમ તું તેના ગુણેને ઉપભોગ કરતે જઇશ તેમ તેમ તારા શરીરમાં જે અનેક વ્યાધિઓ થયેલા છે તે નરમ પડતા જશે. તને જે રેગો થયેલા છે તેને ઘટાડવાને અને ૧ ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે તેવા ભાગ્યશાળી પ્રાણીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy