SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ દર કરી નાખે તેવું છે અને ઉપરાંત શરીરને અને મનને સંતોષ આપે છે, પુષ્ટ કરે છે, બળ વધારે છે, શરીરને વર્ણ સુધારે છે અને વીર્યમાં વૃદ્ધિ કરે છે. એ ભોજન સારી રીતે ખાવાથી અનંત આનંદથી ભરપૂર થઈ અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી જેવી રીતે અમારા રાજા સુસ્થિત મહારાજ સુખમાં રમણ કરે છે તેવી રીતે તેના જેવો તું પણ થઈ જઇશ, તેટલા માટે હે ભદ્ર! તું આગ્રહ તજી દઈને તારું ભજન જે અનેક રોગોનું કારણ છે તેને છેડી દે, તજી દે, મૂકી દે અને આ પરમ ઔષધ જેવું મહા આનંદનું કારણું સુંદર ભેજન લે, ગ્રહણ કર અને તેને ઉપયોગ કર.” ધર્મબંધકર મંત્રીએ આટલે લંબાણ ખુલાસો કર્યો તે સાંભળીને નિપુણ્યકે જવાબ આપે “ભટ્ટારક મહારાજ ! મને શરત અને મારા ભેજન ઉપર એટલે બધે સ્નેહ છે કે તેનો સ્વીકાર. ત્યાગ કરવા માત્રથી તેના પ્રેમના ગાંડપણમાં હું મરી જઈશ એમ મને લાગે છે, માટે મહારાજ ! આ ભજન મારી પાસે રહેવા દઈને આપ મને આપનું ભેજન આપો.” તેનો આ પ્રમાણે અત્યંત આગ્રહ જોઈને ધર્મબોધકરે મનમાં વિચાર કર્યો કે આ બિચારાને સમજણ આપવાનો હાલ તો બીજે કાંઈ ઉપાય નથી, માટે તે તેનું ખરાબ ભજન તેની પાસે ભલે રાખે અને આ આપણું ભેજન તેને આપીએ, પછી જ્યારે તેને આ સુંદર ભેજનને રસ લાગશે ત્યારે તે પોતાની મેળેજ પેલા ખરાબ ભોજનને ત્યાગ કરી દેશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીશ્વરે તેને કહ્યું, “ભાઈ ! તારું ભોજન તારી પાસે રહેવા દઈને આ સુંદર ભજન હાલ તું લે અને લઈને તેનું ભક્ષણ કર.” દરિદ્રીએ જવાબ આપ્યો “ભલે, તેમ કરીશ.” આ તેનો જવાબ સાંભળીને ધર્મબોધકરે તયાને સંજ્ઞા કરી એટલે તેણીએ દરિદ્રીને ભેજન આપ્યું. તે ભેજન દરિદ્વીએ તુરત ગ્રહણ કર્યું અને ત્યાં બેઠા, બેઠાજ તેનું ભક્ષણ કર્યું. આ ભજન કરવાથી તેની ક્ષુધા શાંત થઈ ગઈ, તેના શરીર ઉપર અનેક વ્યાધિઓ થયા હતા તે લગભગ નાશ પામવા જેવા થઈ ગયા. અગાઉ આંખમાં આંજન આંજવાથી અને પાણી પીવાથી જે સુખ તેને થયું હતું તેના કરતાં હજાર ગણું સુખ આ સુંદર ભેજન કરવાથી તે નિપુણ્યક દરિદ્રીને થયું. આ પ્રમાણે થવાથી તે દરિદ્રીને ધર્મબોધકર મંત્રી ઉપર ભક્તિ ઉત્પન્ન થઈ, તેના મનમાં જે શંકા હતી તે દૂર થઈ ગઈ અને તે હર્ષ પામીને બોલ્યો, “હું ભાગ્યહીન છું, સર્વે પ્રાણું કરતાં ઘણે અધમ છું અને આપના ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy