SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] મહાહનું વૈચિત્ર્ય. પણ જેત નથી કે આ તારે શરીરે હજારે વ્યાધિઓ છે તે સર્વ તારી પાસેના તુચ્છ ભજનના સંબંધથી થયેલા છે? તારી પાસે જે ભેજન છે તેને વધારે ખાવામાં આવે છે તેથી તારા સર્વ વ્યાધિઓ એકદમ વધી જાય તેમ છે, તેથી સારી બુદ્ધિવાળા પ્રાણુઓએ તેને એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. તારા ભેજન ઉપર તને અત્યારે પ્રેમ આવે છે અને તેને તું સારું ગણે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે, તને વસ્તુ અત્યારે ઉલટી સમજાય છે, તેથી તું એમ માને છે; પરંતુ જ્યારે મારા ભેજનને એક વાર બરાબર તત્વથી સ્વાદ લઈશ ત્યારે તને અટકાવવામાં આવશે તેપણ તારી પિતાની ઈચ્છાથી આ તારૂં કુજન તું તજી દઈશ. અમૃત પ્રાપ્ત કરીને પછી તે કેણ એ મૂર્ખ હોય કે જે ઝેર પીવાની ઇચ્છા કરે? વળી હું તને પૂછું છું કે તે મારે અંજનની શક્તિ અને પાણુંને મહિમા શું હમણુંજ જોયાં નથી? છતાં તને મારા વચન ઉપર પૂરો વિશ્વાસ કેમ નથી આવતો? તું એમ કહે છે કે તે ભેજન તે બહુ મહેનતે મેળવ્યું છે તેથી તારાથી તેને ત્યાગ કરી શકાય તેમ નથી તેના સંબંધમાં હું તને ખુલાસો કરું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ભેજનને મેળવવામાં બહુ ફ્લેશ થાય છે, એ પિતે લેશરૂપ છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના કલેશ ઉત્પન્ન થાય છે તેટલા માટે જ તેને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તે ત્યારપછી એમ કહ્યું કે “ભવિષ્યમાં તારો તેના ઉપર નિર્વાહ છે, તેથી તે તેને ત્યાગ કરી શકતો નથી તેને ખુલાસો પણ મનની શું છોડી દઈને સાંભળ. એ ભવિષ્યમાં અનેક દુઃખને નિર્વાહ કરે તેવું ભેજન છે, તેથી કદાચ તું માને છે તેમ તેના ઉપર તારે ભવિષ્યને આધાર હોય તોપણ દુઃખમાં ડૂબેલે તું તેને સર્વદા રાખી શકીશ? ( રાખી શકીશ નહિ). વળી તે કહ્યું કે “આ મારૂં સુંદર ભજન તને આપવામાં આવે છે તે કેવું છે તે તું જાણતો નથી તે બાબતમાં હું તને ખુલાસો કરું છું તે બરાબર ધ્યાન રાખીને વિશ્વાસ લાવીને સાંભળઃ તને કોઈ પણ જાતનો કલેશ ન થાય તેવી રીતે હમેશાં તારી જેટલી ઈચ્છા હશે તેટલું આ સુંદર ભજન હું તને આપ્યા કરીશ, માટે તું જરા પણ મુંઝવણ રાખ્યા સિવાય આ પરમાત્તને ગ્રહણ કર. આ સુંદર ભેજન તારાં સર્વ દરદને મૂળમાંથી ૧ ભરણપોષણ ૨ પોષણ, પ્રેરણું. ૩ અહીંથી બેંગોલ એશોઆટિક સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૨૬ શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy