SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪ મું. નંદિવર્ધન મરણ-ઉપસંહાર દ પર જવેલ રીતે અરિદમન રાજાનો સંસારત્યાગ જ થઈ થયે; તેને પ્રકૃતિવર્ગ અને અંતપુર તેમાં સા છે. મેલ થયા, સ્વરૂપદર્શન પ્રત્યક્ષ થયું, અનુકરણ કરવા STD 6 યોગ્ય બનાવો મારી સામે બન્યા અને અગ્રહીત સંકેતા! વિવેકાચાર્ય જ્ઞાની મહારાજે અમૃત જેવાં વચને કહ્યાં તેની એક જરા પણું અસર મારા ઉપર થઈ નહિ. થોડા વખતમાં જ પેલો વૈશ્વાનર મિત્ર અને હિંસાદેવી દૂર ગયા હતા તે પાછા મારી નજીકમાં આવ્યા અને બન્નેએ મારા ભારેમી શરીરમાં પ્રવેશ કર્યો. અરિદમન રાજા દીક્ષા લેવાના નંદિવર્ધન. હતા તેથી સર્વ ભનુષ્યને બંધનથી છૂટા કરવાને હુકમ તેમણે રાજપુરૂષોને આ હતું તેથી તેને ઓએ મને પણ બંધનથી મુક્ત કર્યો. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ સાધુએ (વિવેકાચાર્ય) મને લેક મળે નાહક વગોવ્યો. એવા વિચારથી મારા મનમાં તેમના ઉપર ઘણે ઘમઘમાટ થયો અને આવી રીતે જે સ્થાને લેકમાં વગેવણ થઈ હોય ત્યાં રહેવામાં લાભ શું એમ માનતે હું ત્યાંથી વિજયેપુર નગર તરફ જવાને ચાલી નીકળ્યો અને તે નગર તરફનો કેટલોક રસ્તો ઓળંગી પણ ગયે. ધરાધર સાથે લડાઈ-નંદિવર્ધનનું મરણ, હવે એ વિજયપુર નગરના શિખરી નામના રાજાને એક ધરાધર નામનો પુત્ર હતો. તેના ઉપર પણ વિશ્વાનર અને હિંસાએ મારી પેઠે ઘણે જ દોર ચલાવેલું હોવાથી પિતાએ તે ધરાધરને પોતાના દેશથી બહાર કાઢી મૂક્યો હતો. એ ધરાધર પણ મને મુસાફરીમાં એક જંગલમાં બરાબર સામે મળે. મેં તેને વિજયપુર નગરને રસ્તો પૂછો પરંતુ તે વખતે તેના મનમાં ઘણું વ્યાકુળતા હોવાથી મારું ૧ સંસારીજીવ પોતાપર વીતેલી સર્વ વાર્તા સદાગમ સમક્ષ અગહીતસંકતાને ઉદ્દેશીને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy