SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧] ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા. વિવેકાચાર્ય–“રાજન ! એને કઈ પણ પ્રકાર પ્રતિબંધ તે થયે જ નથી પણ હું આવા પ્રકારની વાત કરું છું તેથી તેના મનમાં ઉલટો ઘણે ઉદ્દેગ ઉત્પન્ન થયે છે.” અરિદમન–“ ત્યારે સાહેબ! શું એ નંદિવર્ધન અભવ્ય છે?” વિવેકાચાર્ય–“રાજન્ ! એ અભવ્ય નથી, ભવ્ય છે. તે મારા વચન ઉપર જરા પણ પ્રતીતિ કરતો નથી, તેમજ તેને આદર કરતા નથી, તે તો તેના મિત્ર વૈશ્વાનર (ક્રોધ)ને દોષ છે. અનંતાનુબંધી. એ વિશ્વાનરને એની સાથે સંબંધ (પ્રેમ-ગાંઠ-અનુ બંધ) અનંતકાળને હોવાથી એ વૈશ્વાનરનું ‘અનંતાનુબંધી એવું ત્રીજું નામ પણ આપવામાં આવ્યું છે. એ અનંતાનુબંધી વૈશ્વાનર અત્યારે તેનામાં જાગ્રત થયેલો હોવાથી અને તેના ઉપર તેની અત્યંત પ્રીતિ હોવાથી મારાં વચન તરફ તેને જરા પણ પ્રેમ થતો નથી, તેનામાં તે અસંતોષ ઉત્પન્ન કરે છે અને હૃદયના ધબકારા નિરંતર થયા કરે છે-આવા સંયોગોમાં એ બાપડાને પ્રબોધ કે પ્રતિબંધ શેને થાય? એ વૈશ્વાનરની સોબતને પરિણામે જુદે જુદે અનેક સ્થાનકે તેને હજુ રખડવાનું છે. ત્યાં તેને અનેક પ્રકારનાં વૈરે બાંધવાનાં છે અને અનંત પ્રકારનાં દુઃખ અનુભવતાં તેનાં ભયંકર પરિણામે ચાખવાનાં છે.” અરિદમન—“ ત્યારે સાહેબ! એ વૈશ્વાનર તે એને ખરેખર મેટે દુશ્મન છે છતાં તે મિત્ર થઈ શત્રુની ગરજ સારે છે.” વિવેકાચાર્ય–“એના શત્રુપણુની હદ થઇ છે! એથી વધારે ખરાબ કરનાર કેણ હેય?” અરિદમન-- “ ત્યારે સાહેબ! આ શ્વાનર આ નંદિવર્ધનનો જ દોસ્તદાર થઈ રહ્યો છે કે બીજા કેઈન પણ મિત્ર તે હશે?” કાચાર્ય–“રાજન્ ! જો તું આ પ્રશ્ન બહુ સ્પષ્ટ રીતે પૂછે છે તે પ્રમાણે તારે તેને બરાબર ખુલાસે જાણ હોય તે તને વિસ્તારથી તેની હકીકત કહી સંભળાવું, જેથી તારે ફરીવાર કાંઈ પૂછવાપણું જ રહે નહિ.” અરિદમન-“એમ કરે તો સાહેબ! મારા ઉપર મેટી કૃપા થાય.” ૧ અભયઃ મેક્ષમાં જવાની યોગ્યતા વગરને જીવ. ૨ અનંતાનુબંધી મહાતીત્ર ક્રોધને “અનંતાનુબંધી કોધ” કહેવામાં આવે છે. એ યાજજીવિત રહે છે, પ્રાણીને નિરંતર જવલંત રાખે છે, મરણ પછી નરકગતિ અપાવે છે અને સમકિતનો રોધ કરે છે. એના સ્વરૂ૫ માટે જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૧૬ મી અને તેપરની ટીકા. ૩ તેનાં ક્રોધ અને વૈશ્વાનર એવાં બે નામ તો ઉપર જણાવેલાં છે. આ ત્રિીનું નામ “અનંતાનુબંધી છે. (એ નામ નથી, પણ વિશેષણ છે, પણ અત્ર તેને નામ તરીકે જણાવેલ છે.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy