SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૩ “ હાવાથી રાજન્ ! મહા મુશ્કેલીએ આવા સંસારના વિસ્તાર ગમે “ તેમ કરીને ઓળંગી જઇ દુ:ખે કરીને પ્રાપ્ત થઇ શકે એવું મનુષ્ય “ પણું પ્રાપ્ત કરવું તે રાધાવેધને સાધવા જેવું મુશ્કેલ છે, તેને પ્રાપ્ત “ કરીને તેમ જ વળી કર્મના નાશ કરનાર જિનેશ્વર ભગવાનનું શાસન << પણ પ્રાપ્ત કરીને જે મૂર્ખ પ્રાણી હિંસા ક્રોધ અને તેવાંજ ખીજાં “ પાપોમાં આનંદ પામે છે તે મહા ઉત્તમ ચિંતામણિ રત્નને બદલે “ કાચને ગ્રહણ કરેછે, ચંદન માળીને તેના પાડેલા કોલસાના વેપાર 66 કરે છે, મહા સમુદ્રમાં એક ખીલાને માટે મોટા વહાણને ભાંગી “ નાખે છે, મહા ઉત્તમ ધૈર્ય રત્નને અંદર પરાયેલી દારીની ખાતર “ કાપી નાખે છે, મેાટી દેવઅર્પિત હાંડીને અગ્નિની ખાતર ભાંગી “ નાખે છે, અજ્ઞાનના દોષને લઇને આંબલીના ઘડો રનની થાળીમાં ખાલી કરે છે, સેનાના હળથી જમીન ખેડીને આકાલીઆ મેળવવા સારૂ આકડાનાં બી જમીનમાં વાવે છે અને ચોતરફ કપૂરના કેટકાઓ ફેંકી દઈને કાદરાના વેપાર એ મૂર્ખ કરે છે અને મનમાં વળી તે બાબતમાં ગૌરવ લે છે. આ પ્રમાણે માનવાનું કારણ્ * કે જે પ્રાણીનું ચિત્ત હિંસા ક્રોધ વિગેરે પાપામાં આસક્ત હોય છે “ તેનાથી વિશુદ્ધ ધર્મ ગાઉના ગાઉ દૂર જઇને જ બેસે છે, અને જે 6. .. એ છે * પ્રાણીનું મન પાપમાં પરોવાયલું હેાય છે તેમજ જે એવા વિશુદ્ધ ધર્મથી રહિત હોય છે તે મેાક્ષમાર્ગના અંશ સાથે પણ જોડાઇ “ શકતા નથી-આ પ્રમાણે હાવાથી એવા પ્રાણી સંસારની વિચિત્રતા * અને જૈનશાસનની દુઃપ્રાપ્યતા જાણતાં છતાં પણ આ મહા ભયંકર સંસારસમુદ્રમાં સંપૂર્ણ ડૂબી જાય છે અને અનેક પ્રકારની હેરાનગતિ ભાગવે છે. પરિણામે તેનું જ્ઞાન તદ્ન નકામું થઇ પડે છે જે પ્રમાણે “ આ નંદિવર્ધનના સંબંધમાં ખરાખર બન્યું છે.” .. (6 .. નંદિવર્ધનની મેધદુર્લભતા. વૈશ્વાનરની અનંતાનુબંધી શત્રુતા, અન્ય જીવા સાથે વૈશ્વાનરના સંબંધ. અરિદમન—“ ત્યારે સાહેબ ! આપશ્રીએ આટલા બધા વિસ્તારપૂર્વક સંસારના પ્રપંચ કહી સંભળાવ્યો તે નંદિવર્ધન સાંભળે છે અને તેણે ક્રોધ તથા હિંસાનાં કડવાં પરિણામે જાતે પણ અનુભવ્યાં છે ત્યારે હવે તેને એધ થયા હશે કે નહિ? તેનામાં કાંઇ જાગૃતિ આવી હશે કે નહિ ?” ૧ ચંદનનાં લાકડાંના કાલસા પાડવા એ તે મૂર્ખાઇની હદ જ થઇ અને તે પણ વળી અંગારાના વેપાર માટે હોય ત્યારે મૂર્ખતા ઉપર શિખર ચઢે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy