SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ મેટા સંતાપ ઉત્પન્ન કરતા હતા. એ બંનેને વશ થવાથી તેણે પોતાની ઉપર અત્યંત ઉપકાર કરનાર પેાતાના તદ્દન નજીકના સગા સંબંધીઓને પણ મારી નાખ્યા, પેાતાના ઉપર પ્રેમ રાખનાર મહારાજા નકચૂડ અને કુમારશ્રી કનકરોખરની અવગણના કરી, એણે સ્ફુટવચનની સાથે અકાળે મિથ્યા વિવાદ કર્યો, કારણ વગર તેને મારી નાખ્યા, તેમજ પેાતાના માતા પિતા ભાઇ બહેન અને છેવટે પેાતાની અત્યંત પ્રિય સ્ત્રીનાં ખૂન કર્યાં, આખા નગરને સળગાવી મૂક્યું. અને સ્નેહથી ભરપૂર મિત્ર અને નાકરને મારી નાખ્યા. આ સર્વ હકીકત તે તમે હમણાજ જાણી છે. આ સર્વે દોષસમૂહ જે અત્યારે નંદ્રિવર્ધનમાં દેખાય છે તે સર્વનું કારણ તેને પેલા વૈશ્વાનર જે મિત્ર થઇને રહ્યો છે અને હિંસા જે તેની સ્રી થઇને રહેલી છે તે બે જ છે. એમાં આ બાપડા નંદિવર્ધન કુમારના કાંઇ દોષ નથી; એ તે પેાતાનાં અસલ સ્વરૂપે અનંત જ્ઞાનનું સ્થાન છે, અનંત દર્શનનું ભાજન છે, અનંત વીર્યનું પાત્ર છે, અનંત સુખનું ઠેકાણું છે અને ન ગણી શકાય તેટલા ગુણાનું વાસભુવન છે! રૃપે આપડો પોતાનું આવું સુંદર આત્મસ્વરૂપ છે તેને અત્યારે જાણતા નથી અને તેને લઈને જ આવા અત્યંત પાપી મિત્ર અને સ્ત્રી જેણે તેના સ્વરૂપમાં આટલા મેટા ફેરફાર કરી નાખ્યા છે તેની સાખતમાં પડી જઇને તેઓને તાબે રહે છે અને તેવી અવસ્થામાં રહીને અનેક દુ:ખપરંપરાને અનુભવ કરે છે.” અરિક્રમન— મહારાજ ! અમે સ્ફુટવચન પ્રધાનને અહીંથી અમારી દીકરીને આપવા સારૂ જયસ્થળ નગરે માકલ્યા તે પહેલાં અમે ઘણા મનુષ્યાની પાસે સાંભળ્યું હતું કે જ્યારે એ નંદિવર્ધન કુમારના જન્મ થયા ત્યારે પદ્મરાજાના આખા રાજકુળમાં ઘણા જ આનંદ થઇ રહ્યો હતા, રાજાના ભંડારમાં અને સમૃદ્ધિમાં ઘણા વધારા થયા હતા અને આખા નગરને ઘણા આનંદ થયા હતા. ત્યાર પછી તે નં મિત્ર ભાર્યા સેબતને સમય. ૧ જુએ પૃ. ૬૧૭. રાજસભામાં કનકશેખરનું મેટું અપમાન કર્યું અને પુ. ૬૨૦ માં કુશાવર્તપુર છેાડતી વખતે તેમની રા પણ ન લીધી. બીજી વખત આવ્યા ત્યારે તરવાર ઉગામી. જુએ પૃ. ૬૪૮. ૨ ભાઇ બહેન નંદિવર્ધનને હતાં એવી મૂળ કથામાં હકીકત આવી નથી. ૩ આ વિભાકર રાજાના પ્રસંગને લઇને છે. એ પૃ. ૬૪૬. ૪ પલ્લીપતિ રણવીર ઉપર કરેલ આક્રમણને સૂચવે છે. જીએ પૃ. ૬૪૩. અંબરીષ ચારાને તે વધારે લાગુ પડે છે. તુએ પૃ. ૬૪૮-૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy