SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ પ્રકરણ ૩ ] મલેવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. અરિદમન રાજાની સ્તુતિ. હવે એ શાલપુર નગરમાં અરિદમન નામનો રાજા હતો, તેણે લેકેને મુખેથી વિવેકાચાર્ય બહાર ઉદ્યાનમાં પધાર્યા છે એવા સમાચાર સાંભળ્યા એટલે કેવળી મહારાજને વંદન કરવા સારૂ તે નગર બહાર નીકળ્યો. પૂર્વે તેની જે દીકરી મદનમંજૂષાનું પાણિગ્રહણ કરવા સારૂ તેણે પોતાના પ્રધાન પુરૂષ સ્ફટવચનને મારી પાસે મોકલ્ય હતો તે કન્યા પણ તેની સાથે ત્યાં આવી હતી અને અરિદમન રાજાની રાણું અને મદનમંજૂષાની માતા રતિલ પણ સાથે જ આવી હતી. અરિદમન રાજાએ રાજ્યનાં પાંચ ચિહ્નો બહાર છોડી દીધો, કેવળી ઉપર મનમાં અત્યંત ભક્તિ દેખાડી અને ઉત્તરાસંગ ધારણ કરી સૂરિમહારાજના અવગ્રહમાં તે દાખલ થયો. ત્યાર પછી સૂરિ મહારાજના ચરણમાં પંચાંગ પ્રમ પૂર્વક નમસ્કાર કરીને પિતાના હાથ જોડી કપાળે લગાડી મુખેથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું. અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરનાર હે સૂર્ય! રાગ રૂપે સંતાપને નાશ કરનાર હે ચંદ્ર"! તમને નમસ્કાર છે. હે કરૂણસમુદ્ર! તમારા પવિત્ર પગલાનું આજે દર્શન કરાવી, સંસારનો નાશ કરાવીને અમને પાપથી મુક્ત કરી દીધા છે. આજે જ ખરેખર મારે જન્મ થયો છે, આજે જ ખરેખરું રાજ્ય મને પ્રાપ્ત થયું છે, મારી શ્રવણેન્દ્રિય આજે જ કૃતાર્થ થઈ છે અને આંખેવટે આજે જ હું દેખતે થયો છું ! કારણ કે સર્વ પ્રકારના સંતાપ, પાપ અને અને રેચ આપનાર અને મારા મહાભાગ્યને સૂચવનાર આજે આપશ્રીનું દર્શન મને થયું છે. સર્વ પાપોને નાશ કરનાર મહાત્મા આચાર્ય મહારાજની આવા સુંદર શબ્દોમાં સ્તુતિ કર્યા પછી અરિદમન રાજાએ બીજા સર્વ સાધુઓને વંદના કરી અને ત્યાર પછી નિર્જીવ ભૂમિને જોઈને પિતે જમીન પર બેઠા. તે વખતે સ્વર્ગ અને મોક્ષ રૂપ વસ્તુઓને પ્ર ૧ જુએ પણ ૬૩૪. ૨ છત્ર, ચામર, પાદુકા, છરી અને તરવાર આ પાંચ રાજ્યચિહ્યો છે. દેવવંદનભાષ્ય ગાથા ૨૧ મીમાં છડીને સ્થાને મુગટ કહેલ છે. ૩ ઉત્તરાસંગઃ ખેસ જેવું વસ્ત્ર. મોટા માણસ પાસે જતી વખતે ઉત્તરાસંગ ધારણ કરવું જોઇએ એ શિષ્ટાચાર છે. ૪ સૂર્ય અંધકારને નાશ કરે છે; આચાર્ય અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરે છે. ૫ ચંદ્ર તાપને નાશ કરે છે; આચાર્ય રાગદ્વેષરૂપ સખ્ત તાપનો નાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy